Thursday, January 1, 2015

अरे पहचाने नहीं हमका… हम पीके हूं पीके, हम से का प्राब्लेम है?

पीकेः हमरी फिलिम का कोनु और काहे विरोध कर रहै है?

जग्गुः आप नहीं जानत, भुल गये? ये बजरंगदल, बाबा रामदेव और सोशल मीडिया वाले है।

पीकेः बजरंग दल कौन है, उ का हनुमानजी की सेना है का, तो फीर उन को तो जिस तरह बजरंगबलीने सीताजी को रावण के चुंगल से छुडाने के लिये लंका जलायी थी उसी तरह फिलिम का पोस्टर फाडने के बदले बलात्कारीयों को फाड देना चाहीये। ससुरा हमार थियेटर क्युं तोड रहै है, हनुमानजी ने तो रामसेतु बनाया था तो ये आपके गोले के टूटे मार्ग नहीं बना सकते का?

जग्गुः इन लोगो को आपकी फिल्म पर आपत्ति है भाया।

पीकेः क्युं हमरी फिलिम में एसा का है?

जग्गुः ये कह रहे है आपकी फिल्म में मंदिर से लेकर शंकर भगवान तक का अपमान किया है।

पीकेः अरे, हमने क्या अपमान किया? अपमान उ लोगन ने कीया जौन आश्रम बनाकर बच्चा लोग को मारते है, ससुर बलात्कार करते है, मेरी फिलिम का विरोध करना रांग नंबर है।

जग्गुः तो फिर सही नंबर क्या है?

पीकेः बताता हुं, आसाराम और बाबा रामपाल जैसो का विरोध कीजिये, ये तो वही बात हुई ना की दुर्बल को डराओ, हम तो कलाकार है, ना ही हमरे पास ईतना पैसा है और ना ही दिल्ली में कोई जानता है। हम तो वो लोग है जो पहले समाज में बनता है, बाद में फिलिम बनाते है, जब ये सब होता है तब ई लोग कहां होते है? इ कौन होते है हमरी फिलिम का विरोध करने वाले, ईन पर विरोघ करने का ठप्पा है का?

जग्गुः वो कह रहे है फिल्म में लव जेहाद की बात है, वो हिन्दु के खिलाफ है।

पीकेः इ हिन्दु का है, हमरे गोले पे तो सब ईन्सान रहते है, प्यार करने के लिये कोई खास ठप्पा होता है का, ईनसे प्यार करो और ईनसे नाहीं। मैने तो बस रोंग नंबर तोडने का प्रयास किया है।

जग्गुः याद कीजिये, जब आप अपने गोले से यहां आये थे, और फिलिम बनाना चाहते थे, तब ईन सब लोगोनें आपसे फिल्म बनाने से पहले ही बात की थी।

पीकेः हां, अरे याद आ रहा है, कौनु हमरी फिरकी ले रहा है, वो का बात हुई थी उन लोगो से?

पीकेः इ कौन सा गोला है, हम तो उस गोले से ईस गोले में आये है, इ बालिवूड का कोई अलग गोला है का?

जग्गुः इस गोले में फिल्म बनती है।

पीकेः हम भी फिलिम बनाना चाहते है।

जग्गुः फिल्म बनाने से पहले आपको सब समाज के ठेकेदारो से बात करनी पडेगी।

पीकेः वो कौन है और कहां मिलगे?

जग्गुः शंकराचार्य, बाबा रामदेव, मौलाना, पादरी, बजरंग दल, टुटरीया(ट्विटर) वाले और फेसबुक वालो से लेके और भी कई है...

पीकेः वो सब फिलिम-विलिम देखते है का?

जग्गुः नहीं, फिल्म तो नहीं देखते है, लेकिन उनसे बात नहीं की तो आपकी फिल्म चलना मुश्कील है।

पीकेः वो तय करते है का फिलिम कैसे बनाई जाएं, वो तो देखते नहीं फिस उन सबसे का बात करनी।

जग्गुः उनसे बात करनी पडेगी उसके बिना बात नही बनेगी।

पीकेः चलो आप कहते है तो बात करते है, बुला लो सबको, दे दो खबरियां।

जग्गुः लिजिये ये आ गये, जिनके बारे में मैंने आपको बताया था, ये सब वहीं लोग है।

पीकेः आप बतायें हम कैसी फिलिम बनाये।

समाज के ठेकेदारः आप पहले ये बतायें की कौनसे विषय पे फिल्म बनाना चाहते है?

पीकेः मैं सोशल मु्द्दा उठाना चाहता हुं, मैं बताना चाहता हुं की हम सब एक हैं। भेदभाव हमने खुद बनाए हैं। आपके गोले पे जो अंधविश्वास फैला है ना, उनके खिलाफ अलख जगाना चाहत है। ये सब बाते एकदम हल्की फुल्की कोमेडी के माध्यम से बताना चाहत है।

समाज के ठेकेदारः अरे, ईस तरह की फिल्म मत बनायें।

पीकेः नहीं, हम अपनी विचारधारा पेश करना चाहत है और मुजे ऐसी हि फिल्म बनानी है, आप चाहे तो मार्गदर्शन कर सकते है।

समाज के ठेकेदारः देखो भाई फिल्म जरूर बनायें, लेकिन उस में मंदिर, आश्रम, चर्च, मस्जिद, गिरिजा घर मत दिखाना और ध्यान रहे आश्रम की तो बात भी मत करना। अगर फिर भी कुछ दिखाना चाहते हो तो आश्रम में कैसे लोगो के दुख दर्द कैसे दूर होते है, वो दीखा सकते हो।

पादरीः देखो भैया, चर्च के बारे में कुछ ना ही दिखाओं तो अच्छा है, अगर दिखाना चाहते हो तो कैसे प्रार्थना और शादी होती है वो ही दिखाना।

मौलवीः हमरी बात मानो ये विषय ही छोड दो, और कोई विषय चुन लो, में तो कहता हुं ये सिनेमा ही गंदी चीज है। ये काम छोडो और अच्छा काम करने की सोचो। फीर भी मेरी बात नहीं माननी है तो एक बात सुन लो, फिल्म में कहीं भी मस्जिद मत दिखाना, दिखाना है तो नमाज पढना और अमन का संदेश कैसे दिया जाता है वो दिखाना।

बजरंग दलः हमने सबकी बात सुनी है, उस पर से कह सकते है की फिल्म में जीतनी बार मंदिर आयेगा उतनी ही बार मस्जिद और चर्च दिखाना एक फ्रेम भी ज्यादा नहीं, कम चलेगी।

सोश्यल मीडिया वालेः पहली बात ये की आप के इसी प्रकार की कई फिल्म बनी है, मिसाल के तौर पे जादुगर और ओह माय गोड ही ले लिजीए। ये विषय तो नकल है, इस में कुछ नया नहीं है, कुछ नया करो। आप जैसे अलग गोले वाले से कुछ नये की उम्मीद है।

पीकेः आप सब की बात मैंने सुन ली है, लेकीन आपकी बातो का खयाल रखुंगा तो, फिलिम नहीं सीरियल बनानी पडेगी, और मेरे पास सिर्फ ढाई घंटे से ज्यादा समय नहीं है। मैंने रास्ते में दिखा आपके गोले में ज्यादा मंदिर ही है, और ज्यादातर लोग मंदिर में जाते दिखे। तो सीधी सी बात है, ज्यादा मंदिर की फ्रेम ही होगी बाकी समय में मस्जिद, चर्च और गिरिजाघर.. की बाते आ जायेगी।

जहां तक 'ओह माय गोड' और 'जादुगर' की बात है तो मेरी फिलिम उन दोनो फिलिम से अलग होगी, देखिये मेरी फिलिम का कान्सेप्ट और स्टोरी टेलिंग अलग है, कहानी शायद एक हो लेकीन मेरी फिलिम का किरदार में नयापन है, क्योंकी मेरी कहानी का नायक थोडा विचित्र है। वो छोटी छोटी हरकतो से बडी बडी बाते बतायेगा और दर्शक ठहाके लगाते लगाते गंभीर बात समज जायेंगे, इसमें मजे का मजा और मेसेजे का मेसेज। फिलिम में कई बात नयी है, जो आपको सिनेमाघर में पता चलेगी।

पीकेः में तो ये सब जानता नहीं हुं की आपके गोले पे इ का हो रहा है, लेकीन एक बात जरूर कहना चाहुंगा। आप लोगो से हाथ जोड के बिनति कर रहा हुं, हम कलाकार और सीधे सादे लोग है, कोई भी कलाकार की पीडा का होती है, वो जाननें के लिये आपको हमसे गले मिलके और नजदिक से देखके समजने की कोशिष करनी चाहीये। अगर एसे ही चला तो आपके गोले में सिनेमाघर, टीवी, रेडीयो सब खाली हो जायेगा और लोग उदासी में डूब जायेंगे, दुःख और दर्द के अलावा कुछु नहीं बचेगा। एक दिन ईन सबसे तंग आकर लोग जी नहीं सकेंगे सिर्फ बचेगा तो ये खाली जुता।

Saturday, May 10, 2014

નૈના નીર બહાયેઃ વારાણસી, વોટર અને વિધવાઓ

ધણણણ...ધણણણ, ઝાલરની ઝણઝણાટીઓ બોલી રહી છે. દીપ પ્રજ્વલિત થઈ રહ્યા છે, બ્રહ્મમૂહુર્તનો સમય છે.હર હર ગંગેનો નાદ સંભળાઈ રહ્યો છે. છ હજાર વર્ષ જુની નગરીના રંગો મેઘધનુષી અને માણસો મોજીલા છે.ભારતને જો જાણવું અને જોવું હોય પણ સમય ન હોય તો આ શહેરમાં ફરી લેવુ.આ નગરી છે જ એવી.જેના પર કંઈ કેટલીય કવિતા અને ફિલ્મી ગીતો પણ લખાયા છે અને હવે એક નવો અધ્યાય લખી રહ્યું છે.ભારતીય રાજનીતિનો સ્તો.જી હાં 'હમ હૈ બનારસી બાબુ'. કાશી કહો ચાહે વારાણસી. દેશમાં ઘણાં શહેરો એવા છે જેના બે-ત્રણ બે-ત્રણ નામો હોય, પણ તમામ નામથી સૌ વાકેફ ન હોય. આ શહેર જ એવુ છે જે ત્રણ નામથી ઓળખાય છે. નાના હતાં ત્યારે એક કહેવત સાંભળી હતી કે, 'સુરતનું જમણ અને કાશીનું મરણ'.કળા અને સાહિત્યથી ભર્યું ભાદર્યું અને આર્થિક રીતે કંગાળ.કદાચ ગંગાજીને સરસ્વતી મળ્યા પણ લક્ષ્મીજી રૂઠ્યા હશે.

તુલસીદાસજી, કબીર, બિસ્મિલ્લાહ ખાન,લાલ બહાદુર શાસ્ત્રી, પંડિત રવિશંકર અને સિતારા દેવી જેવા કંઈક દિગ્ગજો આ શહેરના ઓક્સિજન પર જીવ્યા છે.આગામી 16 મે સુધી કદાચ દેશમાં આ એક માત્ર શહેર છે એવુ વાતાવરણ થઈ ગયુ છે, વારાણસીના વાદળો દેશ પર છવાઈ ચુક્યા છે.તેમાં પણ ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી વડનગરથી વાયા વડોદરા થઈ વારણસી પહોંચ્યા છે.એક સમયે ચા વેચતા મોદી મતદારોને ચા પાઈને બનારસી પાન ખવડાવવાની વેંતરણમાં છે.

આ શહેર તમારા મનસૂબા ઉથલાવી દે કહેવાય નહીં
આ ચહેરા પર બીજો ચહેરો ચીપકાવી દે કહેવાય નહીં
આ સંકેતો, આ અફવાઓ, આ સંદર્ભો આ ઘટનાઓ
આખે આખો નકશો ક્યારે બદલાવી દે,કહેવાય નહીં


સિદ્ધહસ્ત કવિ રમેશ પારેખે લખેલી આ કવિતા વારાણસી પર એકદમ બંધ બેસે છે.હાલની સ્થિતિમાં પણ સંકેતો, અફવાઓ અને ચહેરા પર બીજો ચહેરો ચીપકાવાઈ રહ્યો છે.શહેરના ચહેરા પર પણ બીજો ચહેરો છે, એટલે ચહેરે પે ચહેરા જેવુ થઈ રહ્યું છે.કાશી ટપાલીના થેલા જેવું બિન સાંપ્રદાયિક છે.ટપાલીના થેલામાં કંકોત્રી, મેલો(મરણના સમાચાર આપતો પત્ર), તમામ જ્ઞાતિ અને જાતિઓ આ થેલામાં કોઈને કોઈ પ્રકારે સાથે હોય છે. બસ તો આપણું આ કાશી પણ એવુ જ છે.અહીં તવાયફો,ગણિકાઓ,વિધવા, વિદ્વાનો, સંગીતકારો, હિન્દુ અને મુસ્લિમ એક શહેરમાં કોઈપણ જાતની સુગ વિના વર્ષોથી વસતા આવ્યા છે.વારણસીમાં વસતા માણસને વેનિસની કોઈ પડી ન હોય. આ શહેર અંગે ઘણાં સમયથી એક આવ્યા કરે છે કે, તેને ગુજરાતીમાં કહો તો 'વ' અને અંગ્રેજીમાં 'V' સાથે ઘરોબો છે કે લેણું છે.આ બેઠક પર ભાજપના ઉમેદવાર નરેન્દ્ર મોદી વડનગરના, વારણસી સિવાય વડોદરાથી પણ ચૂંટણી લડે છે.અરે, હા ભાઈ હા એક ફિલ્મી કનેકશન પણ છે.

આ શહેર પર આધારિત એક 'વોટર' ફિલ્મ પણ બની જે પાછી વિધવાઓ પર આધારિત હતી, છેને 'વ'નું જોર. દીપા મહેતાની અદભૂત ફિલ્મ 'વોટર'ને લઈને ખૂબ વિવાદો થયેલા કટ્ટરવાદી હિન્દુઓએ ફિલ્મના શૂટિંગને લઈ ખૂબ જ વિરોધ કર્યો. ફિલ્મનો કેમ વિરોધ? તેની પાછળ પણ એક કથા. આ ફિલ્મ હિન્દુ બાળ વિધવાઓની સ્થિતિ પર આધારિત હતી, જેનો કેટલાક જડસુઓ વિરોધ કરી રહ્યાં હતાં.તો ચાલો શા માટે આ ફિલ્મ બની અને તેનો વિષય વિધવાઓ હતો, તો વારાણસી અને વિધવાઓને શું લેવાદેવા છે.વધુ એક વી કનેકશન. ભારતમાં વિધવાઓની સ્થિતિ વારાણસીમાં જ ખરાબ છે એવુ નથી વૃંદાવનની પણ એજ હાલત છે. આ બે શહેરો જેટલા અદ્યાત્મિક અને ધાર્મિક એટલા જ અંદરથી કલંકિત છે.દીપા 'વોટર'નું શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે તેમના પર કટ્ટરવાદીઓ હુમલો કર્યો. આ મામલો ખૂબ ચગ્યો.ફિલ્મમાં એવુ શું હતું કે, હિન્દુ કટ્ટરવાદીઓએ વિરોધ કરવો પડ્યો?આ વાત તો જે વાચકોએ ફિલ્મ જોઈ હશે તેને સમજાઈ ગઈ હશે,પણ વાસ્તવમાં વારાણસીમાં વિધવાઓની સ્થિતિ શું છે?

તો ચાલો કરો આગળ વાંચવાનું શરૂ. ચૂંટણી અને ઉત્સવના માહોલ વચ્ચે કેટલાય આશ્રમોમાં ગમગીની છે.અહીં લાખો વિધવાઓની જિંદગીના કપાળ પર લાલ બિંદીને બદલે કાળી ટીલી લાગી હોય તેમ લાગે છે.વિધવાઓના ઘણાં પ્રકાર છે.અહીં તમને 7 વર્ષથી લઈને 70 વર્ષીય વૃદ્ધા વિધવા જોવા મળે.હિન્દુ જીવન પદ્ધતિની જેટલી ઉત્તમ બાબતો છે એનાથી કદાચ વધુ કાળી છે.યુગપુરૂષ અને રાષ્ટ્રભક્ત સંન્યાસી વિવેકાનંદે એકવાર કહેલું કે, 'જે ધર્મ વિધવાઓના આંસુ ન લુંછી શકે તેમાં મને વિશ્વાસ નથી'.વિધવાઓના આંસુ લુંછવા માટે કોણ આગળ આવશે? મોદી, અરવિંદ કેજરીવાલ, રાહુલ ગાંધી કે મુલાયમસિંહ?.કદાચ એકેય નહીં. દરેક વિધવાની એક વાર્તા છે. આશ્રમમાં રહેતી આ વિધાવાઓમાં કોઈને સંતાનો દ્વારા ઘરમાં કાઢી મુકવામાં આવી છે,તો કોઈને જમાઈઓએ.તો કોઈ તેમના પરિવાર પર બોજો બનવા માગતી ન હોવાથી અહીં આવી છે.આ તમામમાંથી મોટા ભાગની વિધવાઓ વચ્ચે એક સામ્યતા છે.

તેમાની મોટાભાગની વિધવાઓના લગ્ન 6-7 વર્ષે થઈ ગયા હોય છે અને તેના પતિનું 10-12 વર્ષની ઉંમર થવા સુધીમાં મૃત્યુ પણ થઈ ગયુ હોય છે.આ ઉંમરે પતિ શું તે પણ ખબર હોતી નથી, તેમાં આ પરંપરાઓ ભાર નીચે દબાવુ તો મૃત્યુ સમી બાબત છે.માણસ માટે ખોરાક જેટલુ જ મહત્વ શારીરિક અને માનસિક ભૂખ અને હુંફનું છે.7 વર્ષે લગ્ન થયા બાદ તે માતા-પિતા સાથે લગભગ 4 વર્ષ સુધી રહે છે, ત્યાર બાદ તેને આણુ વારવાની પરંપરા છે.11 વર્ષે પતિને મળવાનું બને છે, પણ વધુ એક પરંપરાના પાપે વધુ એક વર્ષ અલગ થવુ પડે છે. આ દરમિયાન પતિ સાથે સુવાની કે વાત કરવાની મનાઈ હોય છે,એવામાં પતિનું કોઈ કારણોસર મૃત્યુ થઈ જાય છે.પરંતુ તેને ખબર હોતી નથી કે તે ફરીવાર લગ્ન પણ કરી શકતી નથી.તે અભ્યાસ માટે શાળાએ પણ જઈ શકે નહીં અને ઘરબેઠા ભણવાનું હોય છે.માત્ર વૈરાગી જીવન જીવવાનું.પરંતુ માતા-પિતાના મૃત્યુ બાદ આફતનું આભ ફાટે છે,આ સમયે તેની પાસે વારણાસી આવવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી.

આ કથિત વૈરાગ્ય દરમિયાન તેના માથાના વાળ ઉતારી લેવામાં આવે છે અને સફેદ સાડી પહેરવાની ફરજ પડે છે.મસાલેદાર ભોજન નહીં કરવાનું, પુરૂષો સાથે વાત નહીં કરવાની, ઉત્સવ નહીં મનાવવાનો.ટૂંકમાં કહીએ તો જીવવાનું નહીં પણ રોજે રોજ મરવાનું. જેમાંની વિધવાઓને તો એવુ મગજમાં ઠસાવાય છે કે, કંઈ પૂર્વ જન્મના પાપોને કારણે તે વિધવા બની છે.મોટા ભાગની વિધવાઓને બીજીવાર લગ્ન કરવાની ઈચ્છા પણ રહેતી નથી,ઘણી વિધવાઓના બીજા વિવાહ થયા હોય છે.પરંતુ તેમની ખરાબ હાલતને જોઈ મોટાભાગની વિધવાઓ બીજીવાર પરણવા માટે તૈયાર થતી નથી.વારાણસીમાં સરકારી અને સામાજિક સંસ્થાઓના આશ્રમો આવેલા છે.ગંગાજીને નમવા જે એક સ્ત્રી છે પણ વિધવાઓનું અપમાન કરે.આપણે કેવો સમાજ સર્જી રહ્યા છીએ?આ વિધવાઓ પણ ગંગાસ્વરૂપ જ છે. જો તેને કોઈ જોઈ જાય તો પણ તેને અપશુકન માનવામાં આવે છે.તો ઘણી વિધવાઓને દેહ વેપાર કરાવવામાં આવતો હોવાની પણ ઘટનાઓ સામે આવતી રહે છે.

આશ્રમોમાં વિધવાઓ ધાર્મિક માન્યતાઓને કારણે રહે છે, પણ હિન્દુ જીવન પદ્ધતિમાં આવી કોઈ પરંપરા હોય તે માનવુ મુશ્કેલ છે.કદાચ દિમાગ વિનાના લોકોએ આવી કોઈ પરંપરા શરૂ કરી હશે. જોકે વૃંદાવન કરતા વારાણસીની વિધવાઓની સ્થિતિ થોડે ઘણે અંશે સારી છે.અહીં સંસ્થાગત માળખુ છે. સંસ્થાઓને ગ્રાન્ટ પણ સરળતાથી મળી શકે છે.વિધવાઓ માટે સુલભ ઈન્ટરનેશનલ પ્રશંસનીય કામગીરી બજાવે છે.આ સંસ્થા અમુક વિધઓને મહિને 2000 રૂપિયા પેન્શન આપે છે.દેશમાં કુલ 4 કરોડથી વધુ વિધવાઓ છે, એટલે કે દેશની મહિલાઓની વસ્તીના 10 ટકા તો વિધવાઓ જ છે.જેમાંની અનેક જિંદગી બદ્દતર થઈ છે અને ગુજારો કરવા દેહ પણ વેચવો પડે છે.વિધવાઓની કુલ સંખ્યાના 28 ટકા જ પેન્શન પાત્ર છે.ગ્લોબલ મિનિસ્ટ્રી ફાઉન્ડેશન મુજબ 85 ટકા વિધવાઓના કુપોષણને કારણે મૃત્યુ થાય છે.જ્યારે ઘણી વિધવાઓને તો માત્ર થોડુ ફ્રુટ ખાઈને દિવસ પસાર કરવો પડે છે.ખાસ કરીને ગરીબ પરિવારની વિધવાઓને વધુ યાતનાઓ સહન કરવી પડે છે.


એક વાત નોંધવા જેવી એ કે, ઈન્દીરા ગાંધી વિધવા બન્યા બાદ દેશના વડાપ્રધાન બન્યા.તો યુપીએ સરકાર ચેરપર્સન સોનિયા ગાંધી પણ વિધવા જ છે.રાજ્યસભાના સાંસદ અને અભિનેત્રી રેખા પણ વિધવા છે.તો વિધવાઓનો દોષ શું?રાજકીય ઢોલબાજી અને નારબાજી વચ્ચે આ વિધવાઓનું કોણ સાંભળશે?.સવાલ તો સવા અબજનો છે, પણ વજન પાંચીયા જેટલુ.

મૂળ બિહારના મોતીહારના રહેવાસી 90 વર્ષીય બિન્દેશ્વરી દેવીએ તો નરેન્દ્ર મોદી કે અરવિંદ કેજરીવાલનું નામ પણ સાંભળ્યું નથી. પરંતુ શાંતિસિંહા નામના 70 વર્ષીય વિધવા રાજકીય રંગોથી થોડા પરિચિત છે.તેમણે કહ્યું કે વડાપ્રધાન મનમોહનસિંહે ગરીબો માટે કંઈ કર્યું નથી.તેમણે કહ્યું હતું કે,'ગરીબો કી જાન લે લી ઉસને'.તેમણે કહ્યું તેણે મોદીનું નામ સાંભળ્યું છે. નરેન્દ્ર મોદી અંગે વાત કરતા કહે છે કે,'હા મેં તેમને ટીવી અને સમાચાર પત્રોમાં જોયા છે.તેમના અંગ ખૂબ ચર્ચાઓ ચાલી રહી છે. પરંતુ તેઓ અમારા માટે કંઈ કરશે ખરા?'.વારાણસીની વિધવાઓ આ સવાલ વર્ષોથી કરતી આવી છે.પરંતુ તેને કોઈ જવાબ મળ્યો નથી.બસ ગંગા કિનારે આશ સાથે ઉભેલી વિધવાઓ કોઈ ઉદ્ધારકની રાહ જોઈ ઉભી છે.  

Wednesday, May 7, 2014

વર્ષ 1998, ગામ ગોંડલ,કામ પ્રજાના હ્રદયમાં કમળ છાપવાનું


અટલ યુગનો પવન સુસવાટા મારતો હતો. 27 ફેબ્રુઆરી 2002ના ગોઝારા દિવસને હજુ 4 વર્ષ જેટલો સમય બાકી હતો. વર્ષ 1998.વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગતા હતાં.ગુજરાતના મુખ્યમંત્રી દિલીપ પરીખ હતા અને કેશુ સવદાસ ભાઈ પટેલ ફરીવાર ગાંધીનગર પર કબ્જો કરવાની ગોઠવણમાં વ્યસ્ત હતાં.રાજકીય સભાઓ પૂરજોશમાં હતી.હવેનું દ્રશ્ય કંઈક આવ હતુ, કેસરી રંગના કમળ(બોર્ડર લીલા રંગની) ખિસ્સામાં ખોસી કાર્યકરો દોડાદોડ કરે છે. ગોંડલ વિધાનસભા મતવિસ્તારમાં ભાજપની સભા યોજાવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

આસપાસના ગામમાંથી માણસો લઈ જવાની વ્યવસ્થા ગોઠવાઈ રહી છે. ઉમેદવાર જયરાજ ટેમુ ભા જાડેજાને જીતાડવા સ્થાનિક ભાજપ દોડધામમાં વ્યસ્ત.બસ હવે એક સભા થઈ જાય તો જીતી શકાય એવી આશ.આયોજન મુજબ સભા પણ યોજાઈ અને વક્તા કોણ?એક દાઢીધારી અને ઝભ્ભા લેંઘામાં સજ્જ ભાજપના કેન્દ્રીય નેતા.આસપાસના ગામમાંથી માણસોની વ્યવસ્થા થઈ ગઈ હતી.સભા શરૂ થઈ અને આ નેતાએ ભાષણ ચાલુ કર્યું, સભા પુરી થઈ અને વિરપુર(જલારામ)થી ગોંડલ પહોંચેલા એક મતદારને એક ટીનએજરે પૂછ્યુ કે, શું થયું ભાજપ કે કોંગ્રેસ?.જવાબ સાંભળવા જેવો હતો(જોકે તમારે વાંચવા જેવો).અરે ભાઈ આ માણસ તો હ્રદયમાં કમળ છાપીને ચાલ્યો ગયો. ચૂંટણી પરિણામો જાહેર થયા 182માંથી ભાજપ 117 સીટ્સ સાથે સત્તા પર આવ્યો અને કેશુભાઈ મુખ્યમંત્રી બન્યા..

ત્યાર બાદ લગભગ 3 વર્ષ વીતી ગયા.26 જાન્યુઆરી 2001ના રોજ ગુજરાતમાં ભયાનક ભૂકંપ આવ્યો, સરકાર પુનર્વસનમાં નિષ્ફળ ગઈ.સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પક્ષની દુર્દશા થઈ અને ભાજપના મોવડી મંડળે નેતૃત્વ પરિવર્તન કરવાનો નિર્ણય કર્યો અને નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી પદે બેસાડ્યા.વજુભાઈએ રાજકોટ બેઠક ખાલી કરી મોદીને પેટા ચૂંટણી લડાવી અને જીતાવી પણ ખરી.તેઓ પડદા પાછળના દિગ્ગજ ખેલાડી પણ ક્યારેય ચૂંટણી લડી ન હતી.આ તેનો ચૂંટણી જંગમાં ઉતરવાનો પહેલો અનુભવ હતો. ગાદી સંભાળવા સાથે જ ગુજરાતને પણ સંભાળી લીધુ, એવામાં 4 મહિનામાં ગોધરા સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસના કોચ એસ 6માં આગ લાગી અને 59 કાર સેવકોનો મોત થઈ ગયા.

આ ઘટના બાદ ગુજરાતમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા. ત્યાર બાદ ઘણું બધુ બન્યું અને આ ઘટનાના હજુ પણ પડઘાઓ પડી રહ્યા છે અને કદાચ પડતા રહેશે.મુખ્યમંત્રી મોદી પર પદ છોડવાના પણ દબાણો થયા.થોડાં સમયમાં ગુજરાતમાં રમખાણોની રાખ ઠંડી પડી ગઈ અને મુખ્યમંત્રી ગુજરાત ગૌરવ યાત્રા લઈ નીકળ્યા. નાના ગામો અને 20-25 માણસો સામે એક સમીકરણ બેસાડ્યું કે કોંગ્રેસ ગુજરાત વિરોધી છે. દેશના ઘણાં લોકો ગુજરાત વિરોધી માનસિકતા ધરાવે છે, ગુજરાતીઓને દેશભરમાં બદનામ કરે છે.કોંગી મિત્રો કહે છે આપણે રમખાણીયા છીએ.લોક લાગણી જીતવાનો આથી વધુ સારો નુસખો ધ્યાનમાં હોય તો કહેજો.આ રમખાણોની પાકિસ્તાનના તત્કાલિન રાષ્ટ્રપ્રમુખ પરવેઝ મુશર્રફે યુ.એનમાં ટીકા કરી.જેનો જવાબ મોદીએ મિયાં મુશર્રફ સંબંધોન કરીને આપ્યો.આ સંબોધનથી મોદીએ એક તીરથી અનેક નિશાન પાર પાડ્યા.

થોડાં સમયમાં જ વિધાનસભા ચૂંટણી આવવાની હતી.આ દરમિયાન જ મુખ્યમંત્રીને તત્કાલીન ચૂંટણી કમિશનર જે.એમ લિંગ્દોહ સાથે ચૂંટણી જાહેર કરવાને લઈ વાંકુ પડ્યું અને મુખ્યમંત્રીએ તેને જે.એમ લિંગ્દોને બદલે જેમ્સ માઈકલ લિંગ્દોહ કહીને સંબોધ્યા.આઉટલૂક મેગેઝીનના અહેવાલ મુજબ, આ પહેલા લિંગ્દોહે ગુજરાતના અધિકારીઓ માટે અસભ્ય શબ્દ વાપર્યા હતા.આ મુદ્દો ખૂબ ચગ્યો.તેના આ શબ્દ ચાતુર્યના ઘણા અર્થ કરવામાં આવ્યા.ઘણાએ તો ત્યાં સુધી કહ્યું કે લિંગ્દોહને ક્રિશ્ચિયન તરીકે રજૂ કરવા મુખ્યમંત્રીએ આ શબ્દ પ્રયોગ કર્યો.

આ સમયગાળામાં જ ચતુરાઈ પૂર્વક બોલેલુ વાક્ય વાંચો, 'દેશભરના કહેવાતા ખેરખાંઓ કાન ખોલીને સાંભળી લે,આલિયા, માલિયા જમાલિયાઓ ગુજરાતને બદનામ કરવાની કોશિષ કરશે તો ગુજરાત હવે સાંખી નહીં લે'. ચૂંટણી દરમિયાન વારંવાર આ શબ્દોનો ઉપયોગ કર્યો.વિધાનસભા ચૂંટણીઓ જાહેર થઈ અને 12-12-2002 મતદાનની તારીખ નક્કી થઈ.ચૂંટણી દરમિયાન મોદીએ મતદાન તારીખ 12 હોવાથી 12મી તારીખે કોંગ્રેસનું બારમું કરી નાંખવા આહવાન કર્યું.  ભાજપ હિન્દુત્વને મુદ્દો બનાવી ચૂંટણી લડ્યો. પ્રચાર દરમિયાન મોદીએ  અને કોંગ્રેસને પછાડી 127 સીટ્સ કબ્જે કરી. મુખ્યમંત્રીએ અમદાવાદમાં વિજય સંમેલન કર્યું અને ઉપસ્થિતોને અભયમ..અભયમ..અભયમનો નારો આપી એક સંદેશ આપ્યો કે, ડરો નહીં.રમખાણો બાદ ગુજરાતની સ્થિતિને ધ્યાનમાં લઈ તેઓ આ શબ્દો હોંશિયારી પૂર્વક બોલ્યા.ત્યાર બાદ પાંચ વર્ષ સુધી સફળતા પૂર્વક ગુજરાત ચલાવ્યુ અને પાંચ કરોડ ગુજરાતીઓની માળાઓ જપી અને લોકોની સુખાકારી માટે વિવિધ યોજનાઓ પણ શરૂ કરી.

જેમાંની સૌથી પ્રસિદ્ધ અને સફળ એટલે જ્યોતિગ્રામ. ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી પહોંચાડવા માટે લોકને સ્પર્શતુ નામ રાખી આ યોજના શરૂ કરી.ત્યાર બાદ સુજલામ સુફલામ અને વાઈબ્રન્ટ ગુજરાત,નવરાત્રિ મહોત્સવ,આતંરરાષ્ટ્રીય પતંગોત્સવ અને સખી મંડળ જેવી યોજનાઓ લાગુ કરી. ન.મોની યોજનાઓના નામો ભારતીય અને સંસ્કૃતિને સ્પર્શ છે.કોઈએ એવુ કહ્યું છે કે, જો પ્રજા પર શાસન કરવું હોય તો તેમને ઉત્સવ અને યોજનાઓના ઘેન રાખવી.કદાચ આ વાક્યને મુખ્યમંત્રીએ એકદમ ગંભીરતાથી લીધુ છે. વર્ષ 2007માં ફરી વિધાનસભા ચૂંટણીઓ આવી.ન.મોએ આ વખતે પાંચ નહીં સાડાપાંચ કરોડ ગુજરાતીઓને એક સવાલ કર્યો કે તમારે 'જ્યોતિગ્રામ જોઈએ છે કે નંદીગ્રામ', 'મેં આલિયા, માલિયા, જમાલિયા, માફીયા ઔર ટપોરી, ઈન સબકો ગુજરાત કી ધરતી સે ભગા દુંગા'.આ ચૂંટણીમાં સૌથી સફળ બે પંચ લાઈન રહી એક તો જીતેગા ગુજરાત અને ખાતો નથી ખાવા દેતો નથી. 'મૌત કા સૌદાગર'ને ઉલ્ટાવી કોંગ્રેસ વળતો હુમલો કર્યો.આ ચૂંટણીમાં પણ જ્વલંત વિજય મેળવી ગાદી પર બેસી ગયા.

આ કાર્યકાળ દરમિયાન વાંચે ગુજરાત, ખેલ મહાકુંભ, ચીરંજીવી યોજના, ગુણોત્સવ, કૃષિમેળા, ગરીબ કલ્યાણ મેળો, બાળ સખા યોજના, મમતા અભિયાન, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી યોજના,ગુજરાતને 50 વર્ષ થવા નિમિત્તે સ્વર્ણિમ ગુજરાત વર્ષ.આ ગાળામાં 2009માં 15મી લોકસભા ચૂંટણી યોજાઈ. પ્રચાર અભિયાનનો ભાર મોદીના ખભે હતો અને વડાપ્રધાન પદના ઉમેદવાર એલ.કે અડવાણી હતાં.આ પ્રચાર દરમિયાન તેમણે કોંગ્રેસના ટોચના ત્રણ માથા સોનિયા, રાહુલ અને પ્રિયંકાને એસઆરપી કહ્યા.જોકે તેમછતાં ભાજપ લોકસભા ચૂંટણી હારી ગયો.ત્યાર બાદ મુખ્યમંત્રીએ વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી.ઈન્ટરવ્યુમાં એક જ વાત 'કુછ બનને કે નહીં કુછ કરને કે સપને દેખો'. આ ચૂંટણી પહેલા જ સદભાવના લઈને મેદાનમાં ઉતર્યા અને દરેક જિલ્લામાં જઈ એક દિવસના ઉપવાસ કરી નાણાકીય ફાળવણીઓ કરી(આ નાણા જે તે જિલ્લાને મળ્યા કે નહીં?).

2012ની વિધાનસભા ચૂંટણીઓ શરૂ થઈ હવે મુખ્યમંત્રીએ ગુજરાતીઓની સંખ્યા વધારીને છ કરોડ કરી અને સૌનો સાથ સૌનો વિકાસ સાથે મત માગવા નીકળ્યા.હાં દેખો દેખો કૌન આયા ગુજરાત કા શેર આયાનો નારો લાગતો જાય અને નમો પ્રચાર કર્યે રાખે.હવે તેનું નિશાન બન્યા વડાપ્રધાન મનમોહનસિંહ તેમણે તેને મૌન મોહનસિંહ કહી સંબોધવાનું શરૂ કર્યું તો સોનિયાને મેડમ અને રાહુલને શહેજાદા. આ નામથી જનમાનસમાં એક સંદેશ જાય કે, સોનિયા તો મેડમ એટલે કે સામાન્ય માનવી સાથે સંકળાયેલા નથી, યુવરાજ શહેજાદા એટલે રાજ કુમાર તેને અને આમ આદમી સાથે કોઈ સીધો સંપર્ક નહીં, ટૂંકમાં કહીએ તો જમીનથી જોડાયેલા નહીં અને મૌન મોહનસિંહ એટલે હંમેશા રાષ્ટ્રીય સમસ્યાઓ પર મૌન રહેતા વડાપ્રધાન. ચૂંટણી નારો હતો એકમત ગુજરાત બને ભાજપ સરકાર.જેનો સીધો અર્થ કે ભાજપ મામલે ગુજરાત એક મત છે.

ગાંધીનગરમાં એક મજુરીયો મોકલો. નિયો મીડલ ક્લાસ(વર્ષોથી પીડાતા મધ્યમ વર્ગને નજરમાં રાખીને). વર્ષોથી સત્તા વિરોધી લહેર માટે વપરાતા અંગ્રેજી વાક્યને એન્ટી ઈન્કમ્બન્સીને બદલે પોતે સત્તામાં હોવાથી પ્રો ઈન્કમ્બન્સી હોવાની વાત કરી. રાજ્યની તિજોરી પર પંજો નહીં પડવા દઉં.2જી(સ્પેક્ટ્રમ કૌભાંડ) અને જીજાજી(રોબર્ટ વાડ્રા). નમોએ તેના શબ્દબળે સતત ત્રીજી વિધાનસભા ચૂંટણી જીતી બતાવી.હવે તેને દિલ્હી નજીક લાગવા માંડ્યું અને ગાંધીનગરથી મોદી ટ્રેન નીકળવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ.વડાપ્રધાન પદ અંગે આજે પણ પૂછો તો આવો જવાબ આવે.હું તો પક્ષનો નાનો કાર્યકર છું.જે પક્ષ સોંપે તે જવાબદારી સંભાળુ છું, આવુ તો કંઈનું કંઈ બોલે.

ફેબ્રુઆરી 2013માં શ્રીરામ કોલેજના વિદ્યાર્થીઓને મંત્ર આપ્યો પી2 (પ્રો-પીપલ) અને જી2(ગુડ ગવર્નન્સ). વિધાનસભામાં હેટ્રીક માર્યાના લગભગ 9 મહિનામાં જ 16મી લોકસભા માટે પહેલા ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ અને થોડા સમયમાં જ વડાપ્રધાન પદના ઉમેદવાર બની ગયા. ચૂંટણી પ્રચાર જોરશોરથી શરૂ કર્યો. તેમણે લોકોને કહ્યું હું ચૂંટણી નથી લડતો પણ દેશ લડે છે. ત્યાર બાદ છપ્પન ઈંચની છાતી, કોંગ્રેસને અનુલક્ષીને તેઓ નામદાર છે હું કામદાર છું.દેશને શાસક નહીં સેવક જોઈએ.શહેજાદા અને મેડમ શબ્દનો ભરપૂર ઉપયોગ કર્યો. એસઆરવીપી(સોનિયા, રાહુલ, વાડ્રા, પ્રિયંકા).આંખ દીખાકર નહીં આંખ મિલાકર કામ કરને કા સમય(વિદેશ નીતિ મામલે રજૂ કરેલો વિચાર).

સમર્થકોના હર હર મોદીના નારા સાથે જંગી સભાઓ.સભામાં લોકોની તોતિંગ હાજરી બતાવવા જહાં ભી નજર પહુંચ રહી હૈ, મુંડ હી મુંડ હૈ. ધાર્મિક લાગણી દુભાતા પોતાને આ નારાથી અલગ કર્યા.પીંક રિવોલ્યુશન(માંસની નિકાસની ટીકા સંદર્ભે), મર જવાન મર કિસાન(ખેડૂતોની દુર્દશા અને જવાનોના માથા વઢાવાની ટીકા).ન્યૂઝ ટ્રેડર કા સબ ખેલ હૈ(મીડિયાની ટીકા સંદર્ભે). કોંગ્રેસ કો સાંઠ સાલ દીયે મુજે સાંઠ મહિને દીજીયે.મેં કહેતા હું ભ્રષ્ટાચાર હટાઓ, મહેંગાઈ હટાઓ વો કહેતે હૈ મોદી હટાઓ.ડર્ટી ટીમ હટાઓ ડ્રીમ ટીમ લાઓ.તીન AK પાકિસ્તાન કી મદદ કર રહે હૈ, AK47(રાઈફલ) AK49(અરવિંદ કેજરીવાલ અને AK(સંરક્ષણ મંત્રી એન્ટોની).સરકાર સંવિધાન સે ચલતી હૈ(સંઘની સરકાર પર પકડને લઈ આપેલો જવાબ).મત વિસ્તાર વડોદરામાં સભા દરમિયાન મુખ્યમંત્રીએ એક જ શબ્દમાં ચૂંટણી વિજય પાક્કો કરી લીધો.તેમણે કહ્યું કે, મારી સામે લાખો નરેન્દ્ર મોદી બેઠા છે.વારણસીમાં ઉમેદવારી કર્યા બાદ ફરી તેમણે શબ્દ શક્તિ બતાવી અને કહ્યું'ન મુજે કીસીને ભેજા હૈ, ન મેં યહાં આયા હું, મુજે તો મા ગંગાને બુલાયા હૈ' અને અંતે તેમનો ચૂંટણી નારો 'ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર અબ કી બાર મોદી સરકાર'.'નીચી જાતિ કા હું નીચ રાજનીતિ નહીં કરતા હું'.મોદીને તેના વાકાચતુર્ય, પુરૂષાર્થ અને નિયતિએ વડાપ્રધાનની ખુરશી અપાવી દીધી અને તે પણ ઐતિહાસિક વિજય સાથે,હવે તેમના વચનો પર ખરા ઉતરે છે કે નહીં તેનો રિપોર્ટ 5 વર્ષ બાદ માગીશુ.

વર્ષ 1998માં ગોંડલમાં આવીને કોંગ્રેસીઓના દિલમાં પણ કમળ છાપી દેનારા બીજું કોઈ નહીં, પણ વડાપ્રધાન બનવા થનગની રહેલા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતાં.

Wednesday, April 23, 2014

બુદ્ધ, રામ, લક્ષ્મણ-મોદીઃ પત્નીઓને પીડવવી પુરૂષોનો રાષ્ટ્રીય શોખ?

વીકઓફને દિવસે સાંજે 6 વાગ્યાની આસપાસ ઘરના ઓટલે એકલો બેઠો હતો. એવામાં 6-7 મહિલાઓ એક ચર્ચામાં મશગુલ હતી.આ ચર્ચામાં વારંવાર પરણિત પણ પતિ વિહોણી સ્ત્રીની વેદનાની વાતો ચાલી રહી હતી.મને થયું આવું તો ચાલતુ હોય તેમાં આપણે શું પંચાતમાં પડવું, પણ એક ક્ષણ મને વિચાર આવ્યો આવા કિસ્સાઓ તો ઘણા બને છે.એવામાં લગભગ એક 45-50 વર્ષીય મહિલાએ મગજ પર ભાર આપી યાદ કર્યું અને એક વાત શરૂ કરી. આ વાત સાંભળવા માટે હું પણ બે ઘડી ઉભો રહ્યો. આ મહિલાની વાત કંઈક આ રીતે શરૂ થઈ અમારા ગામમાં પણ અમુક સ્ત્રીઓના પતિ 5-7 વર્ષે દેશ-વિદેશમાં ભટકીને આવતા અને ક્યારેક તો બીજી સ્ત્રી સાથે સંબંધો પણ બાંધી લેતા અને પત્ની બાળકોના તો ખબર અંતર પણ પૂછતા નહીં.

આ સમયે સવાલ થયા કરતો કે, આ પ્રકારની સ્ત્રીઓની મનોદશા શી હશે.જેમાં નવી નવી વાતો સામે કોઈ કહે શું કરે બિચારી એકલપંડે માયાવી સંસારનું ગાડું ગબડાવ્યે રાખે, તો બીજી હાજર રહેલી મહિલાએ કીધુ તો શું તેણે તો આ પ્રકારના પુરૂષ સાથે ડિવોર્સ લઈ લેવા જોઈએ.વળતો પ્રત્યુતર આવ્યો ના ભાઈ ના સમાજમાં કેટલાય સવાલો ઉભા થાય. અમારી જ્ઞાતિમાં આવુ તો ના ચાલે. આ સ્ત્રીઓ કોઈ 21મી સદીની થોડી છે. આજની છોરીઓ જુઓ કેવી સ્વતંત્ર થઈ જીવે છે, પણ આપણા જમાનામાં તો માતા-પિતાનો જ હુકમ હોય સાસરિયે ગમે એટલી તકલીફ પડે પણ પિયરમાં તમારા રોદણા રડવા આવવું નહીં. અલગ થઈને પિયરે જવાની તો વાત જવા દો, બાપુજીનો હુકમ હોય કે રસ્તામાં કુવો આવે તો તેમાં પડી જજે પણ અહીં ન આવતી. હવે બીચારી જાય પણ ક્યાં? તેના લગ્નને તો ત્રણ-ત્રણ દાયકા થઈ ગયા છે.આ ચર્ચામાં જ એક યુવતી જોડાઈ અને બોલી પુરૂષ છોડીને ચાલ્યો જાય તો સ્ત્રીએ સહન કરવાનું અને સાંભળવાનું, સ્ત્રી પુરૂષને છોડીને ચાલી જાય તો પણ સ્ત્રીએ જ ભોગવવાનું.ભલા પુરૂષોને આવી છુટ કોણે આપી?

એવામાં વચ્ચે એક આધેડવયની મહિલા બોલી છોડીને જતા રહે તેવા પતિઓ કરતા તો સાથે રહીને ભલેને જે કરવું હોય તે કરે.આ પ્રકારના પતિઓ કરતા તો દારૂડીયા અને જુગારિયાઓ સારા.આ ચર્ચા થોભવાનું નામ લેતી ન હતી.

સાંજ પડી મારો મિત્ર ઘરે આવ્યો એટલે સ્વભાવિક છે કે આખા દિવસના ગામ ગપાટાની વાત થઈ.આ પ્રકારના મુદ્દાઓમાં મને ખાસ કંઈ ઉંડી ગતાગમ પડે નહીં એટલે તેને પૂછ્યું કે, રામ તો સીતાને વનમાં પણ સાથે લઈ ગયા હતાં, તો આ બધા રામની સીતા મુદ્દે કેમ ટીકા કરે છે?.ઘણાંને એવો પણ સવાલ થાય છે કે એક ધોબીની વાત સાંભળી ફરી વનવાસ આપ્યો. તેનો માંડીને જવાબ આપ્યો કે, પહેલા તો તમે રામને ભગવાન તરીકે મુલવો નહીં, તે ઈશ્વર પછી પહેલા રાજા હતાં. તેણે ધોબી(આમ આદમી)ને ગંભીરતાથી લેવો પડે, આ તેનું કર્તવ્ય છે. તો અગ્નિ પરિક્ષા કેમ લીધી? આ સવાલનો જવાબ રામ આપી શકે,પણ એક એવો જવાબ આપી શકાય કે જો રામને પત્નીના ચારિત્ર્ય પર શંકા હોય તો તેને હજારો મુશ્કેલીઓ પાર(સાત સમુંદર પાર મેં તેરે પીછે પીછે આ ગયા) કરી લંકા સુધી લેવા કેમ પહોંચ્યા.આ જ તો આદર્શ પુરૂષ રામની ખાસિયત છે.

ભારત વર્ષના મહાન પાત્રોમાં આવા દાખલાઓ એક ઢુંઢો તો મિલે હજાર જેવુ છે.ચાલો હજુ એક બે ડગલા આગળ વધીએ. શ્રેષ્ઠ ભાતૃ ભક્ત તરીકે લક્ષ્મણના ઉદાહરણો આપવામાં આવે છે, પણ પતિ તરીકે?ભાતૃભક્તિમાં પતિધર્મ ચૂકી ગયા?.પતિ વિના 14 વર્ષ જીવવુ ભલભલી સ્ત્રીઓ માટે દોહ્યલું બની જાય.સીતા તો પતિ ધર્મનું બહાનું કાઢી રામ સાથે ચાલી નીકળા પણ ઉર્મિલા ન ગઈ.તેની પાછળ પણ તેનો મોટો ત્યાગ હતો,જો તે લક્ષ્મણ સાથે વનની વાટ પકડત તો લક્ષ્મણને મોટાભાઈને સેવામાં પણ વિઘ્ન પડત.હવે લક્ષ્મણની ભાતૃ ભક્તિ મોટી કે ઉર્મિલાનો પત્ની ધર્મ તે તો વાચકો જ નક્કી કરી શકે.તેમછતાં લક્ષ્મણનો ભાતૃ પ્રેમ સૌ કોઈને યાદ રહ્યો અને ઉર્મિલાનો પતિ પ્રેમ?કદાચ આપણા સમાજની પુરૂષવાદી માનસિકતાને કારણે આવુ બધું ભુલી જતા હઈશું.મૈથિલિ શરણ ગુપ્ત અને કુમાર પંકજ જેવા કવિઓએ તો ઉર્મિલાની પીડા કવિતા દ્વારા વ્યક્ત કરી છે. કુમાર પંકજે લખેલી કવિતામાં ઉર્મિલાનું કંઈક આમ દર્દ છલકાઈ છે,જેમાં રામ 14 વર્ષે અયોધ્યા આવ્યા છે અને ઉર્મિલાને કહે છે કે હવે તો વનવાસ સમાપ્ત થઈ ગયો છે અને લક્ષ્મણ પરત આવ્યા છે, મંગળ ગીતો ગવાઈ રહ્યા છે, તુ હવે શા માટે ઉદાસ છો? અને ઉર્મિલા તેનો ઉત્તર આપે છે.... 

मन की उलझन को कैसे समाधान दूँ
एक अभिशप्त सुख को क्या वरदान दूँ
बाद बरसों के उत्सव का मौसम है पर
किस तरह अपने आंसू को मुस्कान दूँ

આવી બધી વાતો સમજવા માટે કા તો સ્ત્રી તરીકે જન્મ લેવો પડે અથવા સ્ત્રી હ્રદયથી જીવવુ પડે. પત્નીને પીડા આપવામાં ભગવાન બુદ્ધ પણ કંઈ પાછળ નથી. યશોધરા જેવી પત્નીને છોડીને ચાલી જવામાં ક્ષણનો પણ વિચાર કર્યો નહીં. ભગવાન બુદ્ધે અનેક સવાલોના જવાબો આપ્યા પણ 12 વર્ષે સત્યની ખોજ કરી પરત ફર્યા ત્યારે પત્ની યશોધરા સામે જીભને જેલમાં પુરી દીધી.યશોધરાએ તેમના સવાલોની તોપો ધણધણાવી. યશોધરાએ બુદ્ધને પૂછ્યુ તમે જે જંગલમાં જઈને મેળવ્યું તે શું અહીં મળી શકે તેમ ન હતું.ભગવાન ના પણ પાડી શકે નહીં, સત્ય તો દરેક જગ્યાએ વ્યાપેલુ છે.તેમાં પણ તે તો સત્યને ઘોળીને પી ગયા હતાં, એટલે તે તો જવાબ આપવાની ભૂલ પણ ન કરે.તેમણે આંખો ઝુકાવી દીધી. મૈથિલિ શરણ ગુપ્તે કવિતામાં યશોધરાની વેદનાને વાચા આપી છે. તો તમે પણ વાંચો આ પંક્તિઓ

सखि, वे मुझसे कहकर जाते,
कह, तो क्या मुझको वे अपनी पथ-बाधा ही पाते?

मुझको बहुत उन्होंने माना
फिर भी क्या पूरा पहचाना?
मैंने मुख्य उसी को जाना
जो वे मन में लाते।

सखि, वे मुझसे कहकर जाते।
स्वयं सुसज्जित करके क्षण में,
प्रियतम को, प्राणों के पण में,
हमीं भेज देती हैं रण में -
क्षात्र-धर्म के नाते।
सखि, वे मुझसे कहकर जाते।

પત્નીને પીડા આપવી કદાચ પુરૂષોનો રાષ્ટ્રીય શોખ હશે.આ તો સૈકાઓ પહેલાના ઉદાહરણો છે,બાકી યશોધરાથી જશોદા સુધી કંઈ કેટલીય સ્ત્રીઓએ પતિ પીડા ખમવી પડી છે.હાં પાછી સહનશક્તિ પણ નોબલ પ્રાઈઝ મેળવે એવી હો,આમાંની કોઈ સ્ત્રીએ ક્યારેય પતિ સામે ફરિયાદ પણ કરી નથી.

આ મનોમંથન ચાલતુ હતું ત્યાં વચ્ચે મિત્રએ ટપકી કહ્યું આ ઈતિહાસની ક્યાં ચર્ચા કરવાની જરૂર છે.આપણી સામે મોદી અને જશોદા બહેનનું ઉદાહરણ હાજર જ છે.જોને 42 વર્ષે પત્ની તરીકેની માન્યતા મળી તે પણ ચૂંટણી પંચના પરિણામે.જો આ નિયમ ન થયો હોત કદાચ જીવનભર પત્નીની માન્યતા ન મળત.આ ચાર દાયકા દરમિયાન જશોદા બહેને કેવી કેવી સ્થિતિમાંથી પસાર થવુ પડ્યું હશે તે તો કલ્પના જ કરવી રહી.સ્ત્રીની એકલતાની પીડા શું હોય તે કદાચ મોદી અનુભવી પણ નહીં શકે.મોદીએ પણ કોઈ જલસા કરવા કે એશ આરામની જિંદગી માટે ઘર છોડ્યું ન હતું, તેઓ રાષ્ટ્ર માટે ભેખ લઈ નીકળી પડ્યા હતાં.રાષ્ટ્રધર્મ નિભાવવામાં કદાચ પતિ ધર્મ ભુલી ગયા હશે.તેમછતાં મુખ્યમંત્રીએ વર્ષો બાદ પત્નીનો સ્વીકાર કર્યો તે પણ જશોદા બહેન માટે પીડારૂપ જ રહ્યો હશે, કમ સે કમ તેને વર્ષો પહેલા પત્ની માની લીધા હોત તો જશોદા બહેનનું દર્દ હળવુ થઈ જાત.આજે વારાણસીમાં ઉમેદવારી પત્ર ભરતી વખતે તેઓ બીજીવાર જશોદા બહેનનો પત્ની તરીકે સ્વીકાર કરશે.

Thursday, November 28, 2013

સચીન મારી નજરેઃ શરૂઆતથી સંન્યાસ સુધી...બસ બાપલા...

   
 કેરી પેકરની ક્રિકેટ ક્રાંતિ હજુ રસ્તામાં હતી. ચીયર ગર્લ્સ આવવાને તો બે દાયકા લાગવાનાં હતાં. ગાવસ્કર યુગનો અંત આવી ગયો હતો. કપિલની ધાર પણ બુઠ્ઠી થવા લાગી હતી. મહમ્મદ અઝહરૂદ્દીન યુગની શરૂઆત હતી. સંજય માંજરેકર, નવજોત સિંહ સિદ્ધુ(ઠોકો તાલી), મનોજ પ્રભાકર અને નરેન્દ્ર હિરવાણી ટીમમાં સ્થાન જમાવવા મથામણ કરી રહ્યાં હતાં. અઝહર પણ નવોસવો સુકાની બન્યો હતો.

આ સમયે મુંબઈમાં દાઉદનો દબદબો હતો, જ્યારે નાલાસોપારા તો ઘણું બહાર હતું.સી- લિંકનું તો કોઈએ સપનું પણ જોયું ન હતું તો મુકેશ અંબાણીનાં એન્તિલિયા બંગલોની વાત જ ક્યાં કરવી. આ દૂરદર્શન યુગ હતો,તેમાં પણ આખા ગામમાં 5-7 ટીવી સેટ હતાં. કોમ્યુનિકેશન ક્રાંતિની હજુ શરુઆત હતી. આ સમયે ક્રિકેટ ક્રેઝીસ માટે રેડિયો કોમેન્ટ્રી કોલ્ડ કોફી પીધા જેટલો આનંદ આપતી. મોટા ભાગનાં શોખીનો મર્ફી કંપનીનાં રેડિયો પર દુકાને બેઠા બેઠા સુરેશ સરૈયાને સાંભળતા. હવે જવા દો આ બધી વાતો,અમને તો આટલી લાંબી પૂર્વ ભૂમિકા વાંચીને બગાસા આવે છે,તો આવવા દો આજે તો બગાસુ ખાતા પતાસુ મળવાનું છે ભાઈ,તો ખાવ બગાસુ અને મેળવો પતાસુ.

વર્ષ 1992-93 ભારતીય ક્રિકેટ ટીમ દક્ષિણ આફ્રીકાનાં પ્રવાસે હતી. આ સમયે પાકિસ્તાન વિશ્વ ચેમ્પિયન બની ગયું હતું. આપણી ટીમનું આમ પણ પ્રદર્શન ખાસ ન હતું. ટીમમાં મોટા ભાગનાં ખેલાડીઓ નવોદિતો હતાં. પ્રવીણ આમ્રે, વુરકેરી રામન, અજય જાડેજા, જવાગલ શ્રીનાથ કુંબલે તો સાવ નવાસવા.  આ સમયે ટીમ ઈન્ડિયાનું સુકાન મહમ્મદ અઝહરુદ્દીનનાં હાથમાં હતું. કપિલદેવ, રવિ શાસ્ત્રી અને કિરણ મોરે જેવા અનુભવીઓ સાથે એક વીસીની આસપાસનો ટેણિયો(રમવામાં નહીં દેખાવમાં) હતો. આ ટેણિયો લગભગ 3-4 વર્ષથી ટીમમાં સ્થાન જમાવી બેઠો હતો. તે લગભગ 4-5માં ક્રમે બેટિંગ કરતો.તેનો વન ડેમાં  સ્કોર ભૂલતો ન હોવ તો કદાચ 69 રન હતાં.આફ્રીકાનો પ્રવાસ ભારત માટે આઘાત લાગે એટલી હદે ખરાબ રહ્યો. તો સામે એક 12 વર્ષનો ક્રિકેટ પાછળ ખાવાનું પણ છોડનારો કિશોર હતો. તેને મનમાં સતત એક પ્રશ્ન થયા કરતો કે આટલો સરસ બેટ્સમેન(ટેકનિકથી લઈને ટાઈમીંગ સુધી) અને વન ડેમાં હજુ સદીથી પણ વંચિત? તેનો એક મોટો જવાબ ભવિષ્યના ગર્ભમાં છુપાયેલો હતો.

ભારતના પ્રવાસ બાદ આફ્રીકા ભારત આવ્યું અને એક ત્રિકોણીય શ્રેણી યોજાઈ 'હિરો કપ' નામ મુજબ આ ટૂર્નામેન્ટ ખરેખર હિરોકપ જ સાબિત થઈ.ભારત અને આફ્રિકા વચ્ચે સેમિ ફાઈનલ રમાઈ. સામે તે સમયે વિશ્વચેમ્પીયનની દાવેદાર એવી આફ્રીકાની ટીમ હતી. કેપ્લર વેસલ્સના નેતૃત્વ હેઠળની આ ટીમમાં ફેની ડિ'વિલિયર્સથી લઈને ડોનાલ્ડ સુધીની પેસ બેટરી અને એન્ડ્રુ હડસનથી લઈને ડેવ રિચર્ડસન સુધી ફેવિકોલ જેવી મજબૂત બેટીંગ લાઈનઅપ. ડોનાલ્ડના આક્રમણ સામે પ્રથમ દાવ લેવા ઉતરેલી ભારતીય ટીમનો સ્કોર મહમ્મદ અઝહરુદ્દીનના મહત્વપૂર્ણ 93 રન સાથે ભારતનો સ્કોર માંડ માંડ 193ની આસપાસ પહોંચ્યો.

હવે મેચ છેલ્લી ઓવર સુધી. છેલ્લી ઓવરમાં આફ્રીકાને 6 દડામાં કદાચ 6 રન જરૂરી હતાં.અઝહર, અજય જાડેજા, કપિલ દેવ અને પેલા ટેણિયા એટલે કે આપણા સચ્ચુ વચ્ચે ટીમ મીટિંગ યોજાઈ. ઘણાં સમય સુધી છેલ્લી ઓવર નાંખવા અંગે રણનીતિ ઘડાઈ. અઝહરે કપિલને દડો પણ આપી દીધો,પણ આ સમય 1983 નહીં 1993નો હતો. કપિલે સામેથી જ કહી દીધું કે, મારી ઓવરમાં આટલા ઓછા રન તો થઈ જશે. અઝહર પાસે બીજો વિકલ્પ પણ ન હતો. ક્રિકેટમાં સુકાનીની ખરી પરિક્ષા આ પ્રકારની મેચીસમાં થાય. અઝહરે એક વ્યુહાત્મક નિર્ણય કર્યો અને દડો સોંપ્યો સચીનને.તેને બોલિંગનો તો કોઈ ખાસ અનુભવ ન હતો,છતાં હિંમત કરીને છેલ્લી ઓવર નાંખવાની જવાદારી માથે લીધી.સચીન સામે તેનાથી બમણું બોડી ધરાવતો બ્રાયન મેકમિલન અને વિકેટ કીપર બેટ્સમેન ડેવ રિચર્ડસન હતા. ટૂંકુ કદ, ટૂંકી રનિંગ પણ દડા ફુલર લેન્થના નાંખે. ઓવર પુરી કરી, રિચર્ડસન રન આઉટ, મેકમિલન નોટ આઉટ અને આફ્રીકા ટૂર્નામેન્ટમાંથી આઉટ.ભારત આ મેચ 2 રનથી જીતી ગયું.માત્ર સેમિફાઈનલ નહીં કુંબલેની 12 રનમાં છ વિકેટ સાથે ભારત ચેમ્પીયન પણ થયું અને ટીમમાં એક નવો જુસ્સો આવી ગયો. સચીન માત્ર બેટિંગનો જ નહીં બોલિંગનો પણ બાદશાહ હતો. 'હિરોકપ' બાદ તો તે ભારતનો રેગ્યુલર બોલર બની ગયો.
જોડી તોડવાથી લઈને કોઈ વધુ ધોકાવાયેલા બોલરના ભાગની ઓવર્સ નાંખવા સુધી તે હુકમનો એક્કો રહ્યો.

વર્ષ 1994 ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડના પ્રવાસે ગઈ. આ સમયે ભારતીય ટીમ સામે ઓપનીંગ જોડીનો પહાડી પ્રશ્ન હતો.આ સમસ્યાના ઉકેલ માટે ટીમે કપિલ, વુરકેરી રામન અને અજય જાડેજા જેવા ખેલાડીઓને અજમાવવામાં આવ્યા હતાં. નવજોતસિદ્ધુ અને મનોજ પ્રભાકર કામ ચલાવી દેતા પણ તેમાં કોઈ કસ ન  હતો. હવે વારો સચીનની અજમાયશનો હતો.મિડલ ઓર્ડરમાંથી પ્રમોશન મેળવી ઓપનીંગ આવેલા સચીને 200ના સ્ટ્રાઈકરેટ સાથે લગભગ 42 દડામાં 84 રનની ધુંઆધાર ઇનિંગ રમી અને કાયમી માટે ઓપનીંગની સમસ્યા હલ.

સચીનની યાદગાર ઈનિંગ્સ ગણવી તે નભમાં તારા ગણવા જેટલું મુશ્કેલ કામ છે. આ ગાળામાં જ ઓસ્ટ્રેલિયા સામે 110 રન ફટકારી પ્રથમ વન ડે સદી પણ નોંધાવી. પ્રથમ વન ડે સદી સાથે 92-93માં 12 વર્ષના પેલા કિશોરના સવાલનો જવાબ મળી ગયો. પહેલી વન ડે સદી બાદ સમય જતાં એકથી 49 સદીની સફર વિશ્વ જીતવા(સચીન પણ ક્રિકેટ વિશ્વ જીતવા જ નીકળો હતો) નીકળેલા સિકંદર જેવી રહી.

વર્ષ 1996 આવતા આવતા સચિન પાસે ઠંડા દિમાગ સાથે અનુભવ પણ આવી ગયો.દેખાવે ઠંડા અને અંતર્મુખી લાગતા સચીનની અંદર એક ધગધગતા અગનગોળા જેવી અને પ્રહાર કરી બોલરને ભસ્મીભૂત કરવાની ઠંડી તાકાત હતી.આ માણસ સ્લેજીંગ નહીં પણ બેટિંગ કરતો.તેની ગુસ્સામાં લાવી ખોટો શોટ રમાડવા ઉશ્કેરી શકે એવો વિશ્વમાં કોઈ ક્રિકેટર પેદા થયો નથી. પાકિસ્તાની અને ઓસ્ટ્રેલિયન ખેલાડીઓની વાંદરાછાપ હરકતો સામે તે માત્ર બત્રીસી બતાવતો.ઘણાં આંખ બતાવે પણ તે દાંત બતાવતો. કદાચ સચીન સામેની ટીમના દાંત ખાટા કરી નાંખવાનો ઈશારો કરતો હોય તેમ બની શકે.

96નો વિશ્વ કપ.સચિને ધુઆંધાર બેટિંગ કરી 500થી વધુ રન ઠપકારી દીધા.અહીંથી જ વિશ્વના સરટોચના બેટ્સમેનને પછાડ્યા. તેની સ્પર્ધામાં માત્ર લારા જ નહીં ઈન્ઝમામ ઉલ હક અને માર્ક વો જેવા ધુરંધર બેટ્સમેનો હતાં. સમગ્ર વિશ્વકપમાં સૌથી વધુ રન સચિનના નામે,પણ કમનસીબે ભારત સેમિ ફાઈનલમાં પરાસ્ત થઈ બહાર થઈ ગયું.કદાચ અહીંથી જ ભારતીય ટીમને વિશ્વ ચેમ્પીયન બનાવવાનો પાક્કો નિર્ધાર કર્યો હશે.જે સમય જતાં તેમણે પુરો પણ કર્યો.

આ વર્ષે જ અઝહરની ટીમમાંથી હકાલપટ્ટી થઈ અને સચીનને ખભે બેટિંગની સાથે સુકાનીની જવાબદારી આવી પડી. ટાઈટન કપમાં ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કર્યું અને ટીમને ચેમ્પીયન પણ બનાવી, પણ અહીં એક બીજી મુશ્કેલી સર્જાઈ. એક તો આખી ટીમનો મદ્દાર તેના પર હતો જ અધૂરામાં પુરી સુકાની પદની જવાબદારી. આ જવાબદારીની અસર તેના બેટિંગ પર વર્તાઈ આવી અને થોડાં સમયમાં આ જવાબદારી છોડી ફરીવાર બેટિંગ પર ધ્યાન કેન્દ્રીત કર્યું. એક રીતે જોઈએ તો તે નિષ્ફળ સુકાની સાબિત થયો.આ કદાચ તેની નબળાઈ ગણી શકાય.

હવે સવાલ એ ઉઠેકે તે મહાન ખેલાડી કઈ રીતે બન્યો.જોકે તેના પુરાવા આપવાની જરૂર નથી, તો પણ તેની મહાનતા સામે સવાલો ઉઠાવતા અને તેની ટીકામાંથી ઉંચા ન આવતા તેમજ ઘણાં સચિન પ્રેમીઓ માટે આ વાત નોંધવા જેવી ખરી. હવે વિચારો સચિન ક્યા ગાળામાં ક્રિકેટ રમ્યો,1989 થી 2013ને આ
24 વર્ષ દરમિયાન તેણે વિશ્વના મહાનત્તમ બોલર્સની ધોલાઈ કરી. ઘણાને શેનવોર્ન જ યાદ રહે છે, આ પ્રકારના મહાન બોલર્સની યાદી ઘણી લાંબી છે.

સચિને શેનવોર્ન, મેકગ્રાથ, વસીમ અક્રમ, વકાર યુનુસ, સકલૈન મુશ્તાક, મુશ્તાક અહમદ, મુથૈયા મુરલીધરન, એલન ડોનાલ્ડ, ફેની ડીવિલયર્સ, ડેનિયલ વેટ્ટોરી, કર્ટલી એમ્બ્રોસ અને કર્ટની વોલ્શ આ યાદી હજુ ક્યાંય લંબાઈ શકે. પણ આ એવા બોલર્સના નામ છે જે સચિનને મહાન બનાવવા માટે કાફી છે. બીજા પાંચીયા-પાવલા છાપને આપણે શું સચિન પણ ગણતો નહીં.

સચિને વન ડે અને ટેસ્ટ ક્રિકેટમાં આ તમામને ફટકાર્યા છે.તો શું સચિનની કોઈ નબળાઈ ન હતી?. માણસ માત્રની નબળાઈ હોય તેમ તેની પણ હતી. આ યાદીમાં પહેલું નામ હેન્સી ક્રોનિયેનું લઈ શકાય. ખબર નહીં વિશ્વના ખુંખાર બોલર્સને ઝુડનારો સચિન ક્રોનિયે સામે નર્વસ થઈ જતો. ક્રોનિયેએ તેને અનેકવાર સસ્તામાં આઉટ કર્યો છે. ક્રોનિયેનો રોકાઈને આવતો, જેને સમજવામાં સચિન થાપ ખાઈ જતો. એક તેની આ નબળાઈ ક્યારેય દૂર થઈ નહીં.

સચિનને સૌથી વધુવાર આઉટ ક્યા બોલરે કર્યો? કહી દો તો સાચા ક્રિકેટ પ્રેમી. તેને સૌથી વધુવાર પેવેલિયન ભેગો કરનાર કોઈ ક્રિકેટર ન હતો.તો પછી કોણ અરે કોઈ નહીં, તેની છેલ્લી ટેસ્ટની આગલી ટેસ્ટમાં જ આ ખેલાડીએ તેને આઉટ કર્યો હતો.અરે, કોઈ નહીં આંધળા અમ્પાયર્સ બીજું કોણ ભાઈ. ખોટા નિર્ણય તો કોઈપણથી લેવાઈ પણ સચિન જ તેનો બકરો બને તેમાં સાલી શંકા લાગે,ખેર જવા દો આ વાતોનો હવે કોઈ અર્થ નથી.
 

સચીન અંગેનો વધુ ખજાનો આવતા અંકે ખોલશું....

Monday, October 14, 2013

मुझे भूत पसंद हैं: किशोर कुमार


સૌજન્યઃ मोहल्‍ला लाइव 

ગઈકાલે કિશોર દાની પૂણ્યતિથિ હતી. આ માણસને તમે સનકી, તરંગી કે તોફાની પણ કહી શકો છો. આ માણસ જ એવો છે જેને કંઈપણ કહેવાની પણ એક મજા આવે છે.કદાચ ફિલ્મ જગતમાં કિશોર દા જેટલો રોચક માણસ કોઈ નહીં હોય. બે દાયકાથી પણ વધુ સમય પહેલાં વરિષ્ઠ પત્રકાર અને ફિલ્મ નિર્માતા પ્રિતિશ નંદીએ તેમનો એક લાંબો પણ મસ્તીખોર ઈન્ટરવ્યું કર્યો હતો.

આ વાતચીતમાં કિશોર દાની સેન્સ ઓફ હ્યુમરનો પરચો જોવા મળશે.તેમણે તમામ સવાલોનાં જવાબમાં પોતાના ફિલ્મી નહીં પણ અસલી રૂપમાં જ આપ્યા છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આ પ્રકારનાં લોકો ખૂબ ઓછા હોય છે.
આ ઈન્ટરવ્યુ સૌથી પહેલાં વર્ષ 1985નાં એપ્રિલ માસમાં ઈલસ્ટ્રેટેડ વીકલીમાં પ્રકાશિત થયો હતો. આમ મૂળ તો અંગ્રેજીમાં હતો પરંતુ રંગનાથસિંહે તેનો અનુવાદ કરી હિન્દીમાં ઉપલબ્ધ કરાવ્યો છે.



 તસવીર સૌજન્યઃ રાજ ગોસ્વામી


मैंने सुना है कि आप बंबई छोड़ कर खंडवा जा रहे हैं…
इस अहमक, मित्रविहीन शहर में कौन रह सकता है, जहां हर आदमी हर वक्त आपका शोषण करना चाहता है? क्या तुम यहां किसी का भरोसा कर सकते हो? क्या कोई भरोसेमंद है यहां? क्या ऐसा कोई दोस्त है यहां जिस पर तुम भरोसा कर सकते हो? मैंने तय कर लिया है कि मैं इस तुच्छ चूहादौड़ से बाहर निकलूंगा और वैसे ही जीऊंगा जैसे मैं जीना चाहता था। अपने पैतृक निवास खंडवा में। अपने पुरखों की जमीन पर। इस बदसूरत शहर में कौन मरना चाहता है!!
आप यहां आये ही क्यों?
मैं अपने भाई अशोक कुमार से मिलने आया था। उन दिनों वो बहुत बड़े स्टार थे। मुझे लगा कि वो मुझे केएल सहगल से मिलवा सकते हैं, जो मेरे सबसे बड़े आदर्श थे। लोग कहते हैं कि वो नाक से गाते थे… लेकिन क्या हुआ? वो एक महान गायक थे। सबसे महान।
ऐसी खबर है कि आप सहगल के प्रसिद्ध गानों का एक एलबम तैयार करने की योजना बना रहे हैं…
मुझसे कहा गया था, मैंने मना कर दिया। उन्हें अप्रचलित करने की कोशिश मुझे क्यों करनी चाहिए? उन्हें हमारी स्मृति में बसे रहने दीजिए। उनके गीतों को उनके गीत ही रहने दीजिए। एक भी व्यक्ति को यह कहने का मौका मत दीजिए कि किशोर कुमार उनसे अच्छा गाता है।
यदि आपको बांबे पसंद नहीं था, तो आप यहां रुके क्यों? प्रसिद्धि के लिए? पैसे के लिए?
मैं यहां फंस गया था। मैं सिर्फ गाना चाहता था। कभी भी अभिनय करना नहीं चाहता था। लेकिन कुछ विशेष परिस्थितियों की कृपा से मुझे अभिनय करने को कहा गया। मुझे हर क्षण इससे नफरत थी और मैंने इससे बचने का हर संभव तरीका आजमाया।
मैं सिरफिरा दिखने के लिए अपनी लाइनें गड़बड़ कर देता था, अपना सिर मुंड़वा दिया, मुसीबत पैदा की, दुखद दृश्यों के बीच मैं बलबलाने लगता था, जो मुझे किसी फिल्म में बीना राय को कहना था वो मैंने एक दूसरी फिल्म में मीना कुमारी को कह दिया – लेकिन फिर भी उन्होंने मुझे जाने नहीं दिया। मैं चीखा, चिल्लाया, बौड़म बन गया। लेकिन किसे परवाह थी? उन्होंने तो बस तय कर लिया था कि मुझे स्टार बनाना है।
क्यों?
क्योंकि मैं दादामुनि का भाई था। और वह महान हीरो थे।
लेकिन आप सफल हुए… 
बेशक मैं हुआ। दिलीप कुमार के बाद मैं सबसे ज्यादा कमाई कराने वाला हीरो था। उन दिनों मैं इतनी फिल्में कर रहा था कि मुझे एक सेट से दूसरे सेट पर जाने के बीच ही कपड़ने बदलने होते थे। जरा कल्पना कीजिए। एक सेट से दूसरे सेट तक जाते हुए मेरी शर्ट उड़ रही है, मेरी पैंट गिर रही है, मेरा विग बाहर निकल रहा है। बहुत बार मैं अपनी लाइनें मिला देता था और रुमानियत वाले दृश्य में गुस्सा दिखता था या तेज लड़ाई के बीच रुमानियत। यह बहुत बुरा था और मुझे इससे नफरत थी। इसने स्कूल के दिनों के दुस्वप्न जगा दिये। निर्देशक स्कूल टीचर जैसे ही थे। यह करो। वह करो। यह मत करो। वह मत करो। मुझे इससे डर लगता था। इसीलिए मैं अक्सर भाग जाता था।
खैर, आप अपने निर्देशकों और निर्माताओं को परेशान करने के लिए बदनाम थे। ऐसा क्यों?
बकवास। वे मुझे परेशान करते थे। आप सोचते हैं कि वो मेरी परवाह करते थे? वो मेरी परवाह इसलिए करते थे कि मैं बिकता था। मेरे बुरे दिनों में किसने मेरी परवाह की? इस धंधे में कौन किसी की परवाह करता है?
इसीलिए आप एकांतजीवी हो गये?
देखिए, मैं सिगरेट नहीं पीता, शराब नहीं पीता, घूमता-फिरता नहीं। पार्टियों में नहीं जाता। अगर ये सब मुझे एकांतजीवी बनाता है, तो ठीक है। मैं इसी तरह खुश हूं। मैं काम पर जाता हूं और सीधे घर आता हूं। अपनी भुतहा फिल्में देखने, अपने भूतों के संग खेलने, अपने पेड़ों से बातें करने, गाना गाने। इस लालची संसार में कोई भी रचनात्मक व्यक्ति एकांतजीवी होने के लिए बाध्य है। आप मुझसे यह हक कैसे छीन सकते हैं।
आपके ज्यादा दोस्त नहीं हैं?
एक भी नहीं।
यह तो काफी चालू बात हो गयी।
लोगों से मुझे ऊब होती है। फिल्म के लोग मुझे खासतौर पर बोर करते हैं। मैं पेड़ों से बातें करना पसंद करता हूं।
इसका मतलब आपको प्रकृति पसंद है?
इसीलिए तो मैं खंडवा जाना चाहता हूं। यहां मेरा प्रकृति से सभी संबंध खत्म हो गया है। मैंने अपने बंगले के चारों तरफ नहर खोदने की कोशिश की थी, जिससे मैं उसमें गंडोला चला सकूं। जब मेरे आदमी खुदाई कर रहे थे, तो नगर महापालिका वाले बंदे बैठे रहते थे, देखते थे और ना-ना में अपनी गर्दन हिलाते रहते थे। लेकिन यह काम नहीं आया। एक दिन किसी को एक हाथ का कंकाल मिला – एड़ियां मिलीं। उसके बाद कोई खुदाई करने को तैयार नहीं था। मेरा दूसरा भाई अनूप गंगाजल छिड़कने लगा, मंत्र पढ़ने लगा। उसने सोचा कि यह घर कब्रिस्तान पर बना है। हो सकता हो यह बना हो लेकिन मैंने अपने घर को वेनिस जैसा बनाने का मौका खो दिया।
लोगों ने सोचा होगा कि आप पागल हैं! दरअसल, लोग ऐसा ही सोचते हैं।
कौन कहता है मैं पागल हूं। दुनिया पागल है, मैं नहीं।
आपकी छवि अजीबोगरीब काम करने वाले व्यक्ति की क्यों है?
यह सब तब शुरू हुआ, जब एक लड़की मेरा इंटरव्‍यू लेने आयी। उन दिनों मैं अकेला रहता था। तो उसने कहा : आप जरूर बहुत अकेले होंगे। मैंने कहा नहीं, आओ मैं तुम्हें अपने कुछ दोस्तों से मिलवाता हूं। इसलिए मैं उसे अपने बगीचे में ले गया और अपने कुछ मित्र पेड़ों जनार्दन, रघुनंदन, गंगाधर, जगन्नाथ, बुधुराम, झटपटझटपट से मिलवाया। मैंने कहा, इस निर्दयी संसार में यही मेरे सबसे करीबी दोस्त हैं। उसने जाकर वह घटिया कहानी लिख दी कि मैं पेड़ों को अपनी बांहों में घेरकर शाम गुजारता हूं। आप ही बताइए इसमें गलत क्या है? पेड़ों से दोस्ती करने में गलत क्या है?
कुछ नहीं।
फिर यह इंटीरियर डेकोरेटर आया था। सूटेड-बूटेड, तपती गर्मी में सैविले रो का ऊनी थ्री-पीस सूट पहने हुए … मुझे सौंदर्य, डिजाइन, दृश्य क्षमता इत्यादि के बारे में लेक्चर दे रहा था। करीब आधे घंटे तक उसके अजीब अमेरिकन लहजे वाली अंग्रेजी में उसे सुनने के बाद मैंने उससे कहा कि मुझे अपने सोने वाले कमरे के लिए बहुत साधारण सी चीज चाहिए। कुछ फीट गहरा पानी, जिसमें बड़े सोफे की जगह चारों तरफ छोटी-छोटी नावें तैरें। मैंने कहा, सेंटर टेबल को बीच में अंकुश से बांध देंगे, जिससे उस पर चाय रखी जा सके और हम सब उसके चारों तरफ अपनी-अपनी नाव में बैठकर अपनी चाय पी सकें।
मैंने कहा, लेकिन नाव का संतुलन सही होना चाहिए, नहीं तो हम लोग एक-दूसरे से फुसफुसाते रह जाएंगे और बातचीत करना मुश्किल होगा। वह थोड़ा सावधान दिखने लगा, लेकिन जब मैंने दीवारों की सजावट के बारे में बताना शुरू किया तो उसकी सावधानी गहरे भय में बदल गयी।
मैंने उससे कहा कि मैं कलाकृतियों की जगह जीवित कौओं को दीवार पर टांगना चाहता हूं क्योंकि मुझे प्रकृति बहुत पसंद है। और पंखों की जगह हम ऊपर की दीवार पर पादते हुए बंदर लगा सकते हैं। उसी समय वह अपनी आंखों में विचित्र सा भाव लिये धीरे से खिसक लिया। आखिरी बार मैंने उसे तब देखा था, जब वह बाहर के दरवाजे से ऐसी गति से भाग रहा था कि इलेक्ट्रिक ट्रेन शरमा जाए। तुम ही बताओ, ऐसा लीविंग रूम बनाना क्या पागलपन है? अगर वह प्रचंड गर्मी में ऊनी थ्री पीस सूट पहन सकता है, तो मैं अपनी दीवार पर कौए क्यों नहीं टांग सकता?
आपके विचार काफी मौलिक हैं, लेकिन आपकी फिल्में पिट क्यों रही हैं?
क्योंकि मैंने अपने वितरकों को उनकी अनदेखी करने को कहा है। मैंने उनसे शुरू ही में कह दिया कि फिल्म अधिक से अधिक एक हफ्ता चलेगी। जाहिर है कि वे भाग गये और कभी वापस नहीं आये। आप को ऐसा निर्माता-निर्देशक कहां मिलेगा, जो खुद आपको सावधान करे कि उसकी फिल्म को हाथ मत लगाइए क्योंकि वह खुद भी नहीं समझ सकता कि उसने क्या बनाया है?
फिर आप फिल्म बनाते ही क्यों हैं?
क्योंकि यह भावना मुझे प्रेरित करती है। मुझे लगता है कि मेरे पास कहने के लिए कुछ है और कई बार मेरी फिल्में अच्छा प्रदर्शन भी करती हैं। मुझे अपनी एक फिल्म- ’दूर गगन की छांव में’ याद है, अलंकार हॉल में यह मात्र 10 दर्शकों के साथ शुरू हुई थी। मुझे पता है क्योंकि मैं खुद हॉल में था। पहला शो देखने सिर्फ दस लोग आये थे! यह रिलीज भी विचित्र तरीके से हुई थी। मेरे बहनोई के भाई सुबोध मुखर्जी ने अपनी फिल्म अप्रैल-फूल जिसके बारे सभी जानते थे कि वो ब्लॉक-बस्टर होने जा रही है, के लिए अलंकार हॉल को आठ हफ्तों के लिए बुक करवा लिया था।
मेरी फिल्म के बारे में सभी को विश्वास था कि वो बुरी तरह फ्लॉप होने वाली है। तो उन्होंने अपनी बुकिंग में से एक हफ्ता मुझे देने की पेशकश की। उन्होंने बड़े अंदाज से कहा कि, तुम एक हफ्ते ले लो, मैं सात से ही काम चला लूंगा। आखिकार, फिल्म एक हफ्ते से ज्यादा चलने वाली है नहीं।
मैंने उन्हें आश्वस्त किया कि यह दो दिन भी नहीं चलेगी। जब पहले शो में दस लोग भी नहीं आये तो उन्होंने मुझे दिलासा देते हुए कहा कि परेशान मत हो, कई बार ऐसा होता है। लेकिन परेशान कौन था? फिर, बात फैल गयी। जंगल की आग की तरह। और कुछ ही दिनों में हॉल भरने लगा। यह अलंकार में पूरे आठ हफ्ते तक हाउसफुल चली!
सुबोध मुखर्जी मुझ पर चिल्लाते रहे लेकिन मैं हॉल को हाथ से कैसे जाने देता? आठ हफ्ते बाद जब बुकिंग खत्म हो गयी, तो फिल्म सुपर हॉल में लगी और वहां फिर 21 हफ्तों तक चली! ये मेरी हिट फिल्म का हाल है। कोई इसकी व्याख्या कैसे करेगा? क्या आप इसकी व्याख्या कर सकते हैं? क्या सुबोध मुखर्जी कर सकते हैं, जिनकी अप्रैल-फूल बुरी तरह फ्लॉप हो गयी?
लेकिन आपको, एक निर्देशक के तौर पर पता होना चाहिए था?
निर्देशक कुछ नहीं जानते। मुझे अच्छे निर्देशकों के साथ काम करने का अवसर नहीं मिला। सत्येन बोस और बिमल रॉय के अलावा किसी को फिल्म निर्माण का “क ख ग घ” भी नहीं पता था। ऐसे निर्देशकों के साथ आप मुझसे अच्छे प्रदर्शन की उम्मीद कैसे कर सकते हैं?
एसडी नारंग जैसे निर्देशकों को यह भी नहीं पता था कि कैमरा कहां रखें। वे सिगरेट का लंबा अवसादभरा कश लेते, हर किसी से शांत, शांत, शांत रहने को कहते, बेख्याल से कुछ फर्लांग चलते, कुछ बड़बड़ाते और कैमरामैन से जहां वह चाहे वहां कैमरा रखने को कहते थे।
मेरे लिए उनकी खास लाइन थी : कुछ करो। क्या कुछ? अरे, कुछ भी! अत: मैं अपनी उछलकूद करने लगता था। क्या अभिनय का यही तरीका है? क्या एक फिल्म निर्देशित करने का यही तरीका है? और फिर भी नारंग साहब ने कई हिट फिल्में बनायीं!
आपने अच्छे निर्देशकों के साथ काम करने का प्रस्ताव क्यों नहीं रखा?
प्रस्ताव! मैं बेहद डरा हुआ था। सत्यजित रॉय मेरे पास आये थे और वह चाहते थे कि मैं उनकी प्रसिद्ध कामेडी पारस पत्थर में काम करूं और मैं डरकर भाग गया था। बाद में तुलसी चक्रवर्ती ने वो रोल किया। ये बहुत अच्छा रोल था और इन महान निर्देशकों से इतना डरा हुआ था कि मैं भाग गया।
लेकिन आप सत्यजीत रॉय को जानते थे।
निस्‍संदेह, मैं जानता था। पाथेर पांचाली के वक्त जब वह घोर आर्थिक संकट में थे, तब मैंने उन्हें पांच हजार रुपये दिये थे। हालांकि उन्होंने पूरा पैसा चुका दिया, फिर भी मैंने कभी यह नहीं भूलने दिया कि मैंने उनकी क्लासिक फिल्म बनाने में मदद की थी। मैं अभी भी उन्हें इसे लेकर छेड़ता हूं। मैं उधार दिये हुए पैसे कभी नहीं भूलता!
अच्छा, कुछ लोग सोचते हैं कि आप पैसे को लेकर पागल हैं। अन्य लोग आप को ऐसा जोकर कहते हैं, जो अजीबोगरीब होने का दिखावा करता है, लेकिन असल में बहुत ही चालाक है। कुछ और लोग आपको धूर्त और चालबाज आदमी मानते हैं। इनमें से आपका असली रूप कौन सा है?
अलग-अलग लोगों के लिए अलग-अलग समय में मैं अलग-अलग रोल निभाता हूं। इस पागल दुनिया में केवल सच्चा समझदार आदमी ही पागल प्रतीत होता है। मुझे देखो, क्या मैं पागल लगता हूं? क्या तुम्हें लगता है कि मैं चालबाज हूं?
मैं कैसे जान सकता हूं?
बिल्कुल जान सकते हो। किसी आदमी को देखकर उसे जाना जा सकता है। तुम इन फिल्मी लोगों को देखो और तुम इन्हें देखते ही जान लोगे कि ये ठग हैं।
मैं ऐसा मानता हूं।
मैं मानता नहीं, मैं यह जानता हूं। तुम उन पर धुर भर भरोसा नहीं कर सकते। मैं इस चूहादौड़ में इतने लंबे समय से हूं कि मैं मुसीबत को मीलों पहले सूंघ सकता हूं। मैंने मुसीबत को उसी दिन सूंघ लिया था, जिस दिन मैं एक पार्श्व गायक बनने की उम्मीद में बांबे आया लेकिन एक्टिंग में फंसा दिया गया था। मुझे तो पीठ दिखाकर भाग जाना चाहिए था।
आप ने ऐसा क्यों नहीं किया?
हालांकि इसके लिए मैं उसी वक्त से पछता रहा हूं। बूम बूम। बूम्प्टी बूम बूम चिकाचिकाचिक चिक चिक याडले ईईई याडले उउउउउ (जब तक चाय नहीं आ जाती याडलिंग करते हैं। कोई लिविंग रूम से उलटे हुए सोफे की ओर से आता है, थोड़ा दुखी दिख रहा है, उसके हाथ में चूहों द्वारा कुतरी हुई कुछ फाइलें हैं, जो वो किशोर को दिखाने के लिए लिये हुए है।)
ये कैसी फाइलें हैं?
मेरा इनकमटैक्स रिकॉर्ड।
चूहों से कुतरी हुई?
हम इनका प्रयोग चूहे मारने वाली दवाइयों के रूप में करते हैं। ये काफी प्रभावी हैं। इन्हें काटने के बाद चूहे आसानी से मर जाते हैं।
आप इनकम टैक्स वालों को क्या दिखाते हैं, जब वो पेपर मांगते हैं?
मरे हुए चूहे।
समझा…
तुम्हें मरे हुए चूहे पसंद हैं?
कुछ खास नहीं।
दुनिया के कुछ हिस्सों में लोग उन्हें खाते हैं।
मुझे भी लगता है।
Haute cuisine… महंगा भी। बहुत पैसे लगते हैं।
हां?
चूहे, अच्छा धंधा हैं। किसी के पास व्यावसायिक बुद्धि हो तो वह उनसे बहुत से पैसे कमा सकता है।
मुझे लगता है कि आप पैसे को लेकर बहुत ज्यादा हुज्जती हैं। मुझे किसी ने बताया कि एक निर्माता ने आपके आधे पैसे दिये थे, तो आप सेट पर आधा सिर और आधी मूंछ छिलवा कर पहुंचे थे। और आपने उससे कहा था कि जब वह बाकी पैसे दे देगा, तभी आप पहले की तरह शूटिंग करेंगे।
वो मुझे हल्के में क्यों लेंगे? ये लोग कभी पैसा नहीं चुकाते, जब तक कि आप उन्हें सबक न सिखाएं। मुझे लगता है कि वह फिल्म मिस मैरी थी और ये बंदे होटल में पांच दिन तक बिना शूंटिग किये मेरा इंतजार करते रहे। अत: मैं ऊब गया और अपने बाल काटने लगा।
पहले मैंने सिर के दाहिने तरफ के कुछ बाल काटे, फिर उसे बराबर करने के लिए बायीं तरफ के कुछ बाल काटे। गलती से मैंने थोड़ा ज्यादा काट दिया। इसलिए फिर से दाहिने तरफ का कुछ बाल काटना पड़ा। फिर से मैंने ज्यादा काट दिया। तो मुझे बायें तरफ का फिर से काटना पड़ा। ये तब तक चलता रहा जब तक कि मेरे सिर पर कोई बाल नहीं बचा और उसी वक्त उन्होंने मुझे सेट पर बुलाया। मैं जब इस हालत में सेट पर पहुंचा, तो सभी चक्कर खा गये।
इस तरह बांबे तक अफवाह पहुंची। उन्होंने कहा था कि मैं बौरा गया हूं। मुझे ये सब नहीं पता था। जब मैं वापस आया तो देखा कि हर कोई मुझे दूर से बधाई दे रहा है और दस फीट की दूरी से बात कर रहा है।
यहां तक कि जो लोग मुझसे गले मिला करते थे, वो भी दूर से हाथ हिला रहे थे। फिर किसी ने थोड़ा झिझकते हुए मुझसे पूछा कि अब मैं कैसा महसूस कर रहा था। मैंने कहा, बढ़िया। मैंने शायद थोड़ा अटपटे ढंग से कहा था। अचानक मैंने देखा कि वो लौट कर भाग रहा है। मुझसे दूर, बहुत दूर।
लेकिन क्या आप सचमुच पैसे को लेकर इतने हुज्जती हैं?
मुझे टैक्स देना होता है।
मुझे पता चला है कि आपको आयकर से जुड़ी समस्याएं भी हैं।
कौन नहीं जानता? मेरा मूल बकाया बहुत ज्यादा नहीं था लेकिन ब्याज बढ़ता गया। खंडवा जाने से पहले बहुत सी चीजें बेचने का मेरा प्लान है और इस पूरे मामले को मैं हमेशा के लिए हल कर दूंगा।
आपने आपातकाल के दौरान संजय गांधी के लिए गाने को मना कर दिया था और कहा जाता है कि इसीलिए आयकर वाले आपके पीछे पड़े। क्या यह सच है?
कौन जाने वो क्यों आये। लेकिन कोई भी मुझसे वो नहीं करा सकता जो मैं नहीं करना चाहता। मैं किसी और की इच्छा या हुकुम से नहीं गाता। लेकिन समाजसेवा के लिए मैं हमेशा ही गाता हूं।
आपके घरेलू जीवन की मुश्किलें क्‍या हैं? इतनी परेशानियां क्यों?
क्योंकि मैं अकेला छोड़े जाना पसंद करता हूं।
आपकी पहली पत्नी रुमा देवी के संग क्या समस्या हुई?
वो बहुत ही प्रतिभाशाली महिला थीं लेकिन हम साथ नही रह सके क्योंकि हम जिंदगी को अलग-अलग नजरिये से देखते थे। वो एक क्वॉयर और कॅरियर बनाना चाहती थी। मैं चाहता था कि कोई मेरे घर की देखभाल करे। दोनों की पटरी कैसे बैठती?
देखो, मैं एक साधारण दिमाग गांव वाले जैसा हूं। मैं औरतों के करियर बनाने वाली बात समझ नहीं पाता। बीवियों को पहले घर संवारना सीखना चाहिए। और आप दोनों काम कैसे कर सकते हैं? करियर और घर दो भिन्न चीजें हैं। इसीलिए हम दोनों अपने-अपने अलग रास्तों पर चल पड़े।
आपकी दूसरी बीवी, मधुबाला?
वह मामला थोड़ा अलग था। उससे शादी करने से पहले ही मैं जानता था कि वो काफी बीमार है। लेकिन कसम तो कसम होती है। अत: मैंने अपनी बात रखी और उसे पत्नी के रूप में अपने घर ले आया, तब भी जब मैं जानता था कि वह हृदय की जन्मजात बीमारी से मर रही है। नौ सालों तक मैंने उसकी सेवा की। मैंने उसे अपनी आंखों के सामने मरते देखा। तुम इसे नहीं समझ सकते जब तक कि तुम इससे खुद न गुजरो। वह बेहद खूबसूरत महिला थी लेकिन उसकी मृत्यु बहुत दर्दनाक थी।
वह फ्रस्ट्रेशन में चिड़चिड़ाती और चिल्लाती थी। इतना चंचल व्यक्ति किस तरह नौ लंबे सालों तक बिस्तर पर पड़ा रह सकता है। और मुझे हर वक्त उसे हंसाना होता था। मुझसे डॉक्टर ने यही कहा था। उसकी आखिरी सांस तक मैं यही करता रहा। मैं उसके साथ हंसता था, उसके साथ रोता था।
आपकी तीसरी शादी? योगिता बाली के साथ?
वह एक मजाक था। मुझे नहीं लगता कि वह शादी के बारे में गंभीर थी। वह बस अपनी मां को लेकर ऑब्सेस्ड थी। वो यहां कभी नहीं रहना चाहती थी।
लेकिन वो इसलिए कि वह कहती हैं कि आप रात भर जागते और पैसे गिनते थे।
क्या तुम्हें लगता है कि मैं ऐसा कर सकता हूं? क्या तुम्हें लगता है कि मैं पागल हूं? खैर, ये अच्छा हुआ कि हम जल्दी अलग हो गये।
आपकी वर्तमान शादी?
लीना अलग तरह की इंसान है। वह भी उन सभी की तरह अभिने़त्री है लेकिन वह बहुत अलग है। उसने त्रासदी देखी है। उसने दुख का सामना किया है। जब आपके पति को मार दिया जाए, आप बदल जाते हैं। आप जिंदगी को समझने लगते हैं। आप चीजों की क्षणभंगुरता को महसूस करने लगते हैं। अब मैं खुश हूं।
आपकी नयी फिल्म? क्या आप इसमें भी हीरो की भूमिका निभाने जा रहे हैं?
नहीं, नहीं नहीं। मैं केवल निर्माता-निर्देशक हूं। मैं कैमरे के पीछे ही रहूंगा। याद है, मैंने तुम्हें बताया था कि मैं एक्टिंग से कितनी नफरत करता हूं? अधिक से अधिक मैं यही कर सकता हूं एकाध सेकेंड के लिए स्क्रीन पर किसी बूढ़े आदमी या कुछ और बनकर दिखाई दूं।
हिचकॉक की तरह?
हां, मेरे पसंदीदा निर्देशक। मैं दिवाना हूं लेकिन सिर्फ एक चीज का। हॉरर फिल्मों का। मुझे भूत पसंद हैं। वो डरावने मित्रवत लोग होते हैं। अगर तुम्हें उन्हें जानने का मौका मिले तो वास्तव में बहुत ही अच्छे लोग। फिल्मी दुनिया वालों की तरह नहीं। क्या तुम किसी भूत को जानते हो?
बहुत दोस्ताना वाले नहीं।
लेकिन अच्छे, डरावने वाले?
दरअसल नहीं।
लेकिन हमलोग एक दिन ऐसे ही होने वाले हैं। इसकी तरह (एक कंकाल की तरफ इशारा करते हैं जिसे वो सजावट की तरह प्रयोग करते हैं। कंकाल की आंखों से लाल प्रकाश निकलता है) – तुम यह भी नहीं जानते कि यह आदमी है या औरत। लेकिन यह अच्छा है। दोस्ताना भी। देखो, अपनी गायब नाक पर मेरा चश्मा लगा कर ये ज्यादा अच्छा नहीं लगता?
सचमुच, बहुत अच्छा।
तुम एक अच्छे आदमी हो। तुम जिंदगी की असलियत को समझते हो। तुम एक दिन ऐसे ही दिखोगे।

Wednesday, September 25, 2013

એકલતા, અવગણના અને અશરીરી પ્રેમની સંવેદનાઓથી ભરેલું છે 'ધી લંચબોક્સ'

આ બ્લોગની પ્રથમ પોસ્ટ ફ્રેન્ડશીપ ડે નિમિત્તે આવી હતી. પહેલી પોસ્ટમાં મિત્રો, વાચકો અને માર્ગદર્શકોએ આપેલી પ્રતિક્રિયાઓએ મને વધુ કંઈક અલગ લખવા કે કરવા માટે પ્રેર્યો. પહેલી પોસ્ટમાં મળેલા અકલ્પનીય પેઈજ વ્યુ(500) અને કોમેન્ટ્સથી મારું દિલ પણ નર્મદા ડેમની જેમ ઓવર ફ્લો થયું ગયું છે, વચ્ચે થોડો સમય લખી શક્યો ન હતો. પરંતુ મિત્રો અને વાચકોએ સતત ડફણા મારતા હવે આળસ ઉતરી છે અને એક નવી પોસ્ટ સાથે આવ્યો છું. 

છેલ્લા કેટલાક સમયથી બોલિવૂડમાં ટ્રેન્ડ બદલાયો છે. 'ચેન્નઈ એક્સપ્રેસ' અને 'ગ્રાન્ડ મસ્તી' જેવી નબળી ફિલ્મ્સ ચાલી ગઈ છે.અમે વાત આ ટ્રેન્ડની નહીં પણ એક બીજા જ ટ્રેન્ડની વાત કરી રહ્યાં છીએ. અરે, ભાઈ 'બી.એ પાસ', 'મદ્રાસ કાફે' અને 'ધી લંચ બોક્સ' જેવી ફિલ્મ્સને પણ દર્શકોએ આવકારી છે. હિન્દી ફિલ્મ જગતનું આ એક સકારાત્મક પાસુ ઉભરી આવ્યું છે.

ગત શનિવારે ઓસ્કરની ફોરેન લેંગ્વેજ કેટેગરી માટે ભારત તરફથી 'ધી લંચ બોક્સ'ને બદલે ગુજરાતી ફિલ્મ 'ધી ગુડ રોડ'ને મોકલાવાનો નિર્ણય થઈ ચૂક્યો છે. આ સ્પર્ધામાં 'લંચબોક્સ' જેવી ઉત્તમ કક્ષાની ફિલ્મ પાછળ રહી જાય તે કેમ બની શકે.

રિતેષ બત્રાની 'ધી લંચબોક્સ' એક સંવેદનશીલ, વાસ્તવિક અને શાશ્વત ફિલ્મ છે. ફિલ્મમાં મહાનગરોમાં જીવતા અને એકાકીપણાથી પીડાતા લોકોની કથા છે. આ ફિલ્મ દર્શકો માટે ઉનાળામાં શેરડીનાં રસની ઠંડક સમાન છે.

આ ફિલ્મમાં એક સરસ મજાનો સંવાદ છે, 'કભી કભી ગલત ટ્રેન ભી સહી જગહ પહોંચા દેતી હૈ' જો તમે ખોટી ટ્રેન પકડી હોય તો પણ તમને સાચી જગ્યાએ પહોંડ્યા છે.બીજે ક્યાં?મારા બ્લોગ પર જ સ્તો.
આ ફિલ્મની વાર્તામાં ઘણાં પાત્રોની આસપાસ ગુંથવામાં આવી છે, પણ નિર્દેશકની સુઝને કારણે ઘણાં પાત્રો વચ્ચે વચ્ચે ખલેલ પહોંચાડવા અને ફુટેજ ખાવા આવતા નથી, ઘણાં પાત્રો અદ્રશ્ય છે.જોકે તેમછતાં તેમની હાજરી અને મહત્વને અવગણી શકો નહીં.આ કોઈ ફિલ્મ નહીં નહીં પણ એક જિંદગી છે.

ઓફિસમાં બપોરે ડબ્બા વાળાની જોવાતી રાહ, સાંજે પ્લાસ્ટીકની કોથળીમાં પાર્સલ થયેલા રોટલી અને શાક અને આ પાર્સલ અથવા ટીફિન ખોલવાનો રોમાંચ.આ કથા મુંબઈ જેવા મહાનગરમાં આકાર લઈ શકે. મુંબઈગરાઓ ડબ્બા વાળાની મહેબૂબાની માફક રાહ જોતા હોય છે. તેમાં પણ ક્યારેક આ વાત સાચી પણ બની જાય છે.જિંદગીમાં ગમે ત્યારે એક અણધાર્યો વળાંક આવી શકે છે, તેના કોઈ ટાઈમ ટેબલ હોતા નથી. ફિલ્મમાં પણ વિધુર અને એકાકી સાજન ફર્નાન્ડીઝ(ઈરફાન ખાન)નાં જીવનમાં એક વળાંક આવે છે.

વસ્તીઓથી ખદબદતા શહેરોમાં માણસ કેટલો માણસથી અલગ થઈ ગયો છે અથવા કહો કે થઈ રહ્યો છે.તેનું ઉત્તમ ઉદાહરણ આ ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે.સાજન સરકારનાં ક્લેઈમ ડિપાર્ટેમેન્ટમાં કામ કરે છે અને નિવૃત્તિનાં ઉંબરે ઉભો હોય છે. તે બપોરે લોજમાંથી ટીફીન મંગાવીને જમતો હોય છે અને સાંજે પાર્સલ લઈ જઈને જઠારાગ્નિ ઠારે છે.

ડબ્બામાં આવતું ભોજન તેની જઠારાગ્નિ તો ઠારી દે છે પરંતુ એકાકીપણુ દૂર કરી શકતું નથી. એક દિવસ નિયતિ તેની આ વાત પણ સાંભળી લે છે અને આ ડબ્બો એક દિવસ તેની એકલતા દૂર કરવા માટે મદદે આવે છે.જ્યારે બીજી તરફ પતિ(નકુલ વૈદ્ય)ની અવગણનાનો ભોગ બનેલી ઈલા(નિમ્રત કૌર) ગમે તેમ કરીને પતિને રીઝવવા પ્રયાસ કરે છે. તે પતિ માટેનાં ભોજનમાં કંઈક અલગ કરવા સતત પ્રયાસોમાં હોય છે.તો ક્યારેક હનીમૂન પર પહેરેલો ડ્રેસ આજે કેટલો ટાઈટ થાય છે તેવા સંસ્મરણો યાદ કરે છે, પણ બિચારી ઈલાનો તો પતિનો સાથેનો તાર જ તૂટી ગયો હોય છે. આ પાત્રો આપણી આસપાસનાં જ છે.

તે વારંવાર ઉપરનાં માળે રહેતા એક વૃદ્ધા(આરતી આચરેકર)ને સાદ આપે છે અને ભોજનની રેસિપિ લેતી રહે છે. માત્ર ભોજનની રેસિપિ જ નહીં ઓડિયો કેસેટ ચડાવી સાજનનાં ગીતો પણ સાંભળતા હોય છે.એક પુત્રીની મા એવી ઈલાનો પતિ જિંદગીની ભાગદોડમાં પત્નીને પ્રેમ કરવાનું જ ભૂલી ગયો હોય તેમ લાગે છે. ઈલાનાં પતિનું ટીફીન ડબ્બા વાળા રોજ લઈ જાય છે. પરંતુ એક દિવસ ટીફીન સાજનનાં ટેબલ પર પહોંચી જાય છે. ટીફીનનું સ્વાદીષ્ટ ભોજન લઈને સાજન તો ખુશ થઈ જાય છે, તે ડબ્બાને ચાટી જાય છે.

એક દિવસ ઈલા પતિને પૂછે છે કે, ભોજન કેવું હતું પતિ જવાબમાં કહે છે, બટાકા ફુલાવરનું શાક સારું હતું.પતિનાં આ જવાબથી ઈલાને આ ડબ્બો પતિ પાસે નહીં પણ બીજા કોઈ પાસે પહોંચી જતું હોવાની ખબર પડે છે.તેના પતિનું કોઈ સાથે લફરું હોય છે. હવે આ વાત ઈલાને કેમ ખબર પડી? નિર્દેશકે આ વાત સિમ્બોલાઈઝ કરી છે.આમ પણ સ્ત્રીઓમાં ગજબની સિક્સ્થ સેન્સ હોય છે.આ બધું તો અનુભવે આવે ભાઈ. અહીં નિર્દેશકે પણ સ્ત્રીને આવી જતી ગંધ ચતુરાઈ પૂર્વક ઉપયોગ કર્યો છે.ઈલા કપડા ધોવા સમયે વારંવાર પતિનાં શર્ટને સુંઘતી હોય છે, ભાઈ, ભાઈ આ જ તો છે ખરા નિર્દેશકની સુઝ.

સાદ આપીને વાતો કરતી આન્ટીની વિનંતિથી ઈલા ટીફીનમાં એક પત્ર મોકલે છે.હવે તો આ ડબ્બા વાળો બિચારો પણ પોસ્ટમેન બની જાય છે, પણ તેને ક્યાં ખબર છે કે, ડબ્બામાં ભોજન સાથે લાગણીઓને વાચા આપતા અને એકલતા દૂર કરતા શબ્દો પણ પડેલા છે.હવે તો પત્રોનો જમાનો ગયો પણ અભિવ્યક્તિ માટે પત્રો વધુ સશક્ત માધ્યમ કદાચ બીજું નથી તેમાં એક ફિલીંગ છે. ફિલ્મમાં પણ સાજનને ભોજન કરતા પત્ર ખોલવાની વધુ ઉત્સુકતા હોય છે. આ તો પત્રશક્તિ છે.સાજનને સ્વાદ અને શબ્દોનું જબરદસ્ત કોકટેલ ટોનિક સાબિત થાય છે. નિરસ અને એકલવાયી જિંદગીમાં લીલુછમ્મ ઘાસ ઉગી નીકળે છે.તો ઈલા માટે સાજનનાં શબ્દો પણ સુકીભઠ્ઠ કચ્છની ધરતીમાં એક વરસાદી હેલી જેવા બને છે. બન્ને વચ્ચેની વાતચીત મળવા સુધી પહોંચે પણ છેલ્લી ઘડીએ સાજન મળ્યા વિના નીકળી જાય છે.આ કેવો પ્રેમ? અશરીરી ઉફ્ફ પ્લેટોનિક ચાલો બસ.

પતિની અવગણનાનો ભોગ બનેલી ઈલા તેના ભાઈની આત્મ હત્યા અને પિતાની માંદગીની વાત કરે છે, અને કહે છે જિંદગીમાં હિમ્મત રાખવી જોઈએ.આથી તે આ દુઃખોથી નાસી છુટવાની લાગણી વ્યક્ત કરવા પત્રમાં એક ચોટદાર સંવાદ લખે છે,સાંભળ્યું છે કે,ભલે ભૂતાનમાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન નથી પરંતુ ત્યાં ગ્રોસ ડોમેસ્ટિક હેપ્પીનેસ છે.આ વાત વાંચી સાજન ભૂતાન જવાના(ઈલા સાથે) ખ્વાબ જોવા લાગે છે અને વાત વાતમાં શેખ સાથે ભૂતાન અંગે ચર્ચા કરે છે.

ફિલ્મમાં એક નહીં પણ બે વાર્તાઓ ચાલે છે. એકમાં બે એકલતા અનુભવતા જીવો છે તો બીજી વાર્તામાં લગ્ન વિના માશુકા સાથે રહેતા અનાથ શેખ(નવાઝુ દ્દીન સિદ્દીકી)ની વાત છે.શેખને કોઈ ચિંતા નથી. તે બસ મજાક, મસ્તી અને મોજીલો છે.તે સાજની નજીક આવવા પ્રયાસો કરે છે. શરૂઆતમાં તો સાજન ભાવ આપતો નથી પરંતુ શેખ ધીમે ધીમે તેને પરિવારનો સભ્ય બનાવી લે છે. અનાથ હોવાથી લગ્નમાં તેને પરિવારનાં સભ્ય તરીકે પણ રજૂ કરી દે છે.

સાજન તેની પત્ની સાથે રેકોર્ડ કરેલા 'યે જો હૈ જિંદગી'(80નાં દાયકાની યાદગાર સીરિયલ)નાં એપિસોડ દ્વારા મળાવી દે છે.તો બાથરૂમમાં દાદાજીની યાદ આવી જાય છે. અસલમની માં પણ ક્યાંય જોવા મળતી નથી, પણ તે તેની માએ કહેલા વાક્યોને વર્તમાનકાળમાં જ બોલી દર્શકોને તેનો અહેસાસ કરાવે છે.તે એક વાક્ય સતત બોલે છે કે, 'કભી કભી ગલત ટ્રેન ભી સહી જગહ પહોંચા દેતી હૈ'.તો ઈલાનાં ઉપરનાં માળે રહેતાં આન્ટી તેના પતિ દેશપાંડે અંકલ પથારીવશ છે અને તેનો જીવ પંખામાં હોય તેવું કહેવામાં આવે છે.ક્યાંય પણ આ પ્રકાર સીન નથી, પણ તેનું દ્રશ્ય તમારી કલ્પનાઓમાં તાદ્દશ થાય છે.તો ઈલાનાં કેન્સરગ્રસ્ત પિતાની વાત તેની મા દ્વારા સાંભળવા મળે છે.

ફિલ્મમાં અનેક સિમ્બોલ્સ છે. લોકલ ટ્રેનમાં સાજનને અંકલ કહી સીટ આપતો યુવાન. માતા-પુત્રીની આત્મહત્યાની એક ખબરથી બેચન બનતો સાજન. બે ટ્રેનનું સામ-સામેથી પસાર થવું.પતિનાં કપડા સુંઘતી ઈલા. આ પ્રકારનાં તો અનેક સિમ્બોલ્સ દ્વારા રિતેષ બત્રાએ અનેક વાતો કહી છે. રિતેષે ઘણાં પાત્રો ઘટાડી ફુટેજ બચાવી લીધું છે.હાં આ પાત્રો પાછા તમારી સામે જ રહે છે. વાત વાતમાં અનેક પાત્રો આવે છે પરંતુ સ્ક્રીન પર નહીં. ટ્રેનમાં ડબ્બા વાળાઓએ સંત તુકારામનું શરૂ કરેલું ભજન પણ ફિલ્મ પુરી થતાં સાથે જ પૂર્ણ થાય છે.

ઈરફાન ખાન જેવા ધુરંધર અભિનેતા સામે નિમ્રતે પણ વાસ્તવિક અભિનય કર્યો છે.તેમના ભાવો કોઈ મહાનગરનાં એકલતા અનુભવતા પાત્રો જેવા જ છે. બન્નેએ એકદમ સંતુલિત અભિનય કર્યો છે. ઈરફાનનાં એક એક ભાવો આંતરરાષ્ટ્રીય અભિનેતાને છાજે એવા છે.તેની સુંઘવાની અદા તો...તે ન બોલીને પણ ઘણું બોલી જાય છે. ઈલા પણ ઘરેલું લાગે છે. તેની એક એક તડપ ભાવો દ્વારા અનુભવી શકશો.તો નવાઝુદ્દીન સિદ્દીકી પણ ઈરફાન સામે ટટ્ટાર ઉભો રહ્યો છે.

ફિલ્મનું પિક્ચરાઈઝેશન શાનદાર છે. મુંબઈ શહેર અને ડબ્બા વાળાની સર્વિસ પણ એક એક ફ્રેમમાં જબરદસ્ત રીતે મઢવામાં આવી છે.સિનેમેટોગ્રાફર ફિલ્મમાં સામાન્ય માણસની ભાગદોડથી લઈને જીવનચર્યા કેમેરામાં ઝીલવામાં પણ સફળ રહ્યાં છે. તો બેકગ્રાઉન્ડ મ્યૂઝીક પણ એક પાત્ર બનીને સામે ઉભરી આવે છે.

આ ફિલ્મ અંગે એક વાક્યમાં કહેવું હોય તો,'મેરા દિલ ભી કિતના પાગલ હૈ યે પ્યાર તો તુમસે કરતા હૈ...' સાથે 'ધી લંચબોક્સ'નો સ્વાદ માણીને છુટા પડીએ.